ગુરુદાસપુરમાં ભારત પાક સીમા પર પાકિસ્તાન તરફથી ભારતમાં ડ્રોન મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો કે બીએસએફે તેને નિષ્ફળ બનાવી દીધો.
પાકિસ્તાન તરફથી ભારતમાં ડ્રોન મોકલવાનો પ્રયાસ
બીએસએફએ નિષ્ફળ બનાવ્યો પાકનો પ્રયાસ
પંજાબના ફિરોજપુર વિસ્તારમાં બોર્ડર પારથી આવેલા ડ્રોનને તોડી પાડ્યું હતુ
પાકિસ્તાન તરફથી ભારતમાં ડ્રોન મોકલવાનો પ્રયાસ
પંજાબના ગુરુદાસપુરમાં ભારત પાક સીમા પર પાકિસ્તાન તરફથી ભારતમાં ડ્રોન મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. જેને બીએસએફએ નિષ્ફળ બનાવી દીધુ છે. મોડી રાતે ગુરુદાસપુરના કસોવ્વાલ બોર્ડર આઉટ પોસ્ટ પર પાકિસ્તાનની ડ્રોન જોવા મળ્યું હતુ. જે બાદ સ્થળ પર હાજર બીએસએફના જવાનો અને એક મહિલા જવાને ડ્રોન પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યુ. જે બાદ ડ્રોન પાકિસ્તાનની સીમામાં પાછુ ફરી ગયુ હતુ. વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે.
પંજાબના ફિરોજપુર વિસ્તારમાં બોર્ડર પારથી આવેલા ડ્રોનને તોડી પાડ્યું હતુ
મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે બીએસએફે જણાવ્યું કે તેણે પંજાબના ફિરોજપુર વિસ્તારમાં બોર્ડર પારથી આવેલા ડ્રોનને તોડી પાડ્યું. એક ટ્વીટમાં બીએસએફે જણાવ્યું કે શુક્રવારે રાતે 11. 10 વાગે ફિરોજપુર સેક્ટરમાં વાન સીમા ચોકીની પાસે ચીન નિર્મિત ડ્રોનની જાણ થતા તેને તોડી પાડ્યુ હતુ. તેમણે કહ્યું કે કાલા રંગની ઉડતી વસ્તુને આંતરાષ્ટ્રીય સીમાથી લગભગ 300 મીટર અને સીમા બાડથી 150 મીટર દૂર શૂટ કર્યું હતુ.
હથિયારની તસ્કરી કરી રહ્યા છે આતંકી
પોલીસ તપાસથી સંકેત મળે છે કે પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદી ગ્રુપ ભારતમાં હથિયારોની તસ્કરીમાં ખાવાયેલા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે હાલની જપ્તીથી ખબર પડે છે કે આ સંગઠન ડ્રોનના માધ્યમથી વિભિન્ન પ્રકારોના આતંકવાદી અને સંચાર હાર્ડવેર પહોંચાડવાની ક્ષમતા મેળવવામાં સફળ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારે ભારત પાકિસ્તાનથી મોટા ડ્રોનની અવરજવર ચિંતા વ્યક્ત કરી છે.
સુરક્ષા માટે ડ્રોન ખતરો છે
ડ્રોનના આ પ્રકારથી ભારતની તરફ આવવું સુરક્ષા માટે મોટો ખતરો છે. પંજાબ પાકિસ્તાનની સાથે 553 કિમીમીટર લાંબી કાંટાળા તાર વાળી આંતરરાષ્ટ્રીય બોર્ડર શેર કરે છે. જે લગભગ 135 બીએસએફ બટાલિયનના ઓર્બજર્વેશમાં છે. ડ્રગ નેટવર્ક અફઘાનિસ્તાન- પાકિસ્તાન- ભારત માર્ગ પર પણ કામ કરે છે. જેનાથી ભારતને ખતરો બનેલો રહે છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના કોઈ પણ ષડયંત્રને સમય રહેતા નિષ્ફળ કરી દેવામાં આવે છે. જેમાંથી અનેક ડ્રોન એવા પણ છે જેનાથી હથિયાર પાડી હુમલો કરી શકાય છે. એટલા માટે સીમા પર ઉડનારી વસ્તુઓને બહું સાવધાનીથી ઓબર્જર્વ કરવામાં આવે છે. જેથી કોઈ પણ સંકટને પહોંચી વળાય.