આતંકવાદ મામલે પાકિસ્તાનની બેવડી નીતિ ફરી એકવાર સામે આવી છે. આતંકવાદ સામે લડવાની વાતો કરતા પાકિસ્તાને હવે મોસ્ટ વોન્ટેડ જૈશના ચીફ મસૂદ અઝહરને ગુપ્ત રીતે જેલમાંથી મુક્ત કરી દીધો છે.
એવી પણ વિગતો મળી રહી છે કે મસૂદ અઝહરને ISI PoKમાં મોકલવાનો પ્લાન ઘડી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ ભારત સરકારને એલર્ટ આપ્યું છે. જેમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ભારત અને પાકિસ્તાની સીમા પર પાકિસ્તાને સૈનિકોની તૈનાતી કરી છે. રાજસ્થાન બોર્ડર પાસે પણ સૈનિકો તૈનાત કર્યાના ઈનપુટ મળી રહ્યા છે.
ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)એ કેન્દ્ર સરકારને રાજસ્થાન પાસે ભારત-પાકિસ્તાનની સરહદ પર તૈનાત પાકિસ્તાની સૈનિકોને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે. આઇબીના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ભારત વિરુધ્ધ કોઇ મોટુ ષડયંત્ર રચી રહ્યું છે.
આઇબીના ઇનપુટ અનુસાર પાકિસ્તાન સિયાલકોટ-જમ્મૂ અને રાજસ્થાન સેકટરમાં આવનારા દિવસોમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે ધમકી આપતાં કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરને લઇને ભારત સરકારને આ પગલા પર જવાબ આપવામાં આવશે. જો કે ભારત સરકાર દ્વારા ભારતીય જવાનોને એલર્ટ રહેવાનું જણાવવામાં આવ્યું છે.
આઇબીના ઇનપુટના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ગુપ્ત રીતે જૈશ-એ-મહોમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કરી દીધો છે. મસૂદ અઝહર પોતાના આતંકી સંગઠન સાથે મળીને ભારત પર આતંકી હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યું છે.
એક મળતી જાણકારી મુજબ જૈશ કાશ્મીર મુદ્દાના બહાને ભારત પર હુમલો કરવાની ફિરાકમાં છે. જો કે ISI મસૂદ અઝહરને PoK મોકલવાનો પ્લાન બનાવી રહ્યું છે. જેને લઇને ભારતીય ગુપ્તચર એજન્સીએ સરકારને હુમલાને લઇને એલર્ટ આપ્યું છે.