ચીને તાજેતરમાં કહ્યું હતું કે આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની બ્લેક લિસ્ટમાં નાંખવાનો મામવો સમાધાનની તરફ વધી રહ્યો છે. તો બીજી બાજુ પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મસૂદને લઇને પાક કોઇ પણ દબાણમાં આવશે નહીં.
ઇસ્લામાબાદ: પાકિસ્તાન એક બાજુ શાંતિની વાત કરે છે તો બીજી બાજુ આતંકીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ તેને રક્ષણ આપે છે. મસૂદ અઝહરને લઇ પાકિસ્તાનના અવળચંડાઇ સામે આવી છે.
પાકિસ્તાન હવે કહી રહ્યું છે કે, મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે કોઇના દબાણમાં નહીં આવીએ. આ નિવેદન પાકિસ્તાના ઉચ્ચ અધિકારીએ કહી છે અને પડોશી દેશનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે દિવસ પહેલા ચીને એ સમાચારોનું ખંડન કરી દીધું હતું. જેમાં કહેવાયું હતું કે, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે તેમને મસૂદને લઇ અલ્ટીમેટમ આપી દીધું છે.
મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો લીડર છે. જેને રાષ્ટ્ર સુરક્ષા પરિષદનમાં વૈશ્વિક આતંકી જાહેર કરવાને લઇ ચીન અડચણ પેદા કરી રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, અઝહરને લઇ પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ છે. જે પણ નિર્ણય લેવાશે તે રાષ્ટ્રી હિતમાં લેવાશે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી અઝહરે લીધી હતી જેમાં 40 જવાન શહીદ થયા હતા. જે અંગે ભારતીય સેનાએ પાકિસ્તાનને પુરાવા પણ આપ્યા છે. જો કે પાકિસ્તાન મસૂદ સામે કાર્યવાહી કરવા તૈયાર નથી.