કંગાળ પાકિસ્તાનને વધુ એક ફટકો પડ્યો છે. સાઉદી અરબે પાકિસ્તાનને ઉધારમાં કાચું તેલ આપવાનું બંધ કર્યુ છે. પ્રિન્સ સલમાને પાકિસ્તાન સાથેની ફાયનાન્સિયલ ડીલ રદ્દ કરી દીધી છે. આ મામલાને લઇને સાઉદી અરબે પાકિસ્તાનને જવાબ આપવાનું પણ ટાળ્યું છે. બંને દેશ વચ્ચે વર્ષ 2018 ઓક્ટોબરમાં 3 વર્ષ વચ્ચેનો કરાર થયો હતો. જોકે કુરેશીના એક નિવેદન બાદ સાઉદી અરબે કરાર રદ્દ કરી દીધો છે.
પાકિસ્તાનને મે મહિના બાદથી જ કાચુ તેલ નથી મળી રહ્યું
કુરેશીના નિવેદનને લઇને સાઉદી અરબે કર્યો નિર્ણય
કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કંટ્રીઝ(OIC)ને બે-ફાડ કરી દેવાની ધમકી આપવી પાકિસ્તાનને મોંઘી પડી છે. સાઉદી અરબે પાકિસ્તાનને ઉધારમાં તેલ આપવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાન હવે ભાઇસાહેબી કરી રહ્યું છે પરંતુ સાઉદી અપર હવે કોઈ ધ્યાન જ નથી આપી રહ્યું. મહત્વનું છે કે, આર્થિક સંકટથી જજૂમી રહેલા પાકિસ્તાનને દેવાળયું થવા બચાવવા માટે વર્ષ 2018માં સાઉદી અરબ પાસેથી 6.2(અંદાજિત 46 હજાર કરોડ રૂપિયા) અરબ ડૉલરનું દેવું લીધું હતું.
કરારને લઇને પાકિસ્તાન 3.3 ટકા વ્યાજ ચૂકવતું હતું
દેવા પેકેજ હેઠળ પાકિસ્તાનને 3.2 અરબ ડૉલર(અંદાજિત 24 હજાર કરોડ રૂપિયા)નું તેલ ઉધરામાં આપવાનો કરાર કર્યો હતો. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, આ કરાર પૂર્ણ થતાના 2 મહિના પહેલા જ રદ્દ થઇ ચૂક્યો છે. આનું હવે નવીનીકરણ નથી થયું. પાકિસ્તાને ચીન પાસેથી રૂપિયા લઇને સાઉદી અરબની એક અરબ ડોલર(અંદાજિત સાડા 7 હજાર કરોડ રૂપિયા)ની લોન સમયથી ચાર મહિના પહેલા જ ચૂકવી દીધી છે પરંતુ બાકીનું દેવું ચુકવવા માટે પણ ચીન પાસે જઇ રહ્યું છે પાકિસ્તાન.
કુરેશીના નિવેદનને લઇને સાઉદી અરબે કર્યો નિર્ણય
જોકે, છેલ્લા કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક ટીવી કાર્યક્રમમાં સાઉદી અરબને ધમકી આપી દીધી હતી. શાહે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે સાઉદી અરબે આર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કંટ્રીઝ(OIC)ના વિદેશ મંત્રીઓની તાત્કાલિક બેઠક ન બોલાવી તો પાકિસ્તાન ખુદ બેઠક બોલાવી શકે છે. તેમણે કહ્યું કે, જો સાઉદી અરબ બેઠક નહીં બોલાવે તો પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આગ્રહ કરવા માટે મજબૂર થઇ જઇશ કે તેઓ ખુદ તે ઇસ્લામિક દેશોની બેઠક બોલાવે, જે કાશ્મીરના મુદ્દે આપણો સાથ દેવા માટે તૈયાર છે.
તુર્કી સાથે નિકટતા વધતા OICનું સમર્થન ન મળ્યું!
દુનિયામાં મુસ્લિમ દેશોનું સૌથી મોટું સંગઠન OIC પાકિસ્તાનના આ આગ્રહને અનેક વખત ઠુકરાવી ચૂક્યા છે. OICનું સમર્થન ન મળી શકવાનું એક મોટું કારણ પાકિસ્તાન અને તુર્કી વચ્ચે વધતી નિકટતા છે, જેનાથી સાઉદી અરબ ચિડાયું છે. જોકે, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન સાઉદી અરબને હટાવીને સુન્ની મુસ્લિમ દેશોના આગેવાન બનાવના સપના જોઇ રહ્યા છે. સાઉદી અરબને આ કેવી રીતે મંજૂર હોઇ શકે.
કાશ્મીર પર પાકિસ્તાનની નાપાક નીતિ
કાશ્મીરને લેવા માટે પાકિસ્તાની સેના ચાર વખત હુમલો કરી ચુકી છે અને ત્રણ દાયકાથી તેને ભારત વિરૂદ્ધ કુટ યુદ્ધ છેડી રાખ્યું છે. ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. ઇમરાન સરકાર ત્યારથી આ મુદ્દે 57 સભ્યવાળી OICનું સમર્થન મેળવવાના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ તેને દર વખતે નિષ્ફળતા મળી છે.