જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન હલબલી ઉઠ્યું છે. પાકિસ્તાને હવે સમજૌતા એક્સપ્રેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જાણકારી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારત સાથેના રાજનૈતિક સંબંધોમાં પણ ઘટાડો કરી દીધો છે.
પાકિસ્તાને પોતાના ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજૌતા એક્સપ્રેસ સાથે મોકલવાની સ્પષ્ટ ના કહી દીધી છે. આ મામલા પર અટારી આંતરરાષ્ટ્રીય રેલ્વે સ્ટેશનના સુપરિટેંડેટ અરવિંદ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, આજે પાકિસ્તાન સાથે સમજૌતા એક્સપ્રેસને ભારત આવવાનું હતું પરંતુ આ દરમ્યાન પાકિસ્તાનથી મેસેજ આવ્યો કે ભારતીય રેલ્વે પોતાના ડ્રાઇવર અને ક્રુ મેમ્બરને મોકલીને સમજૌતા એક્સપ્રેસને લઇ જાય. તેમને વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાની રેલ્વેએ સુરક્ષાને કારણોસર આ નિર્ણય લીધો છે. હવે ભારતીય રેલ ડ્રાઇવર અને ગાર્ડને જેની પાસે વીઝા છે તેને સમજૌતા એક્સપ્રેસને લેવા માટે મોકલવામાં આવશે.
પાકિસ્તાને બંધ કર્યા વાયુમાર્ગઃ
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા સંવિધાનની કલમ 370ને ખતમ કરવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત વાતાવરણ સર્જાઇ ગયા બાદ ઇસ્લામાબાદે ભારતીય વિમાનોને માટે 9 વાયુમાર્ગોમાંથી ત્રણ માર્ગ બંધ કરી દીધાં છે. પાકિસ્તાન દ્વારા આ વર્ષે બીજી વાર લેવામાં આવેલ નિર્ણયથી રાષ્ટ્રીય વિમાનની કંપની એર ઇન્ડીયાની યૂરોપ, અમેરિકા અને મધ્ય એશિયા સહિત અન્ય સ્થાનો પર જનારી ફ્લાઇટ પ્રભાવિત થશે.
Pakistan Civil Aviation Authority (PCAA) has made changes in aerial routes for all airlines specifically for Lahore region & increased the minimum limit of flights’ altitude. Foreign aircraft will not be permitted to fly below 46,000-feet altitude in Lahore region. pic.twitter.com/H3yg9lfzXo
લગભગ 50 ફ્લાઇટની યાત્રાનો સમય લગભગ 10થી 15 મિનીટ વધી જશે. એર ઇન્ડીયાનાં એક વરિષ્ઠ અધિકારીએ IANSને કહ્યું કે, 'અમે જે લાંબા અંતરની યાત્રાઓ માટે મુખ્ય માર્ગોનો ઉપયોગ કરીએ છીએ તે હજી પણ ખુલ્લાં છે અને અમને જાણકારી મળી છે કે બાકીનાં વાયુમાર્ગોને પણ બંધ કરી દેવામાં આવશે.'