વિભીન્ન દેશોમાં જે રીતે પત્રકારોની, માનવાધિકાર રક્ષકોની અને રાજનેતાઓની જાસૂસી કરવા માટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ થઈ રહ્યો છે, તે ઘણી ચિંતાની બાબત છે.
પેગાસસ ફોનનો મામલો હવે પાકિસ્તાન સુધી પહોંચી ગયો
આરોપ પાકિસ્તાન દ્વારા પણ ભારત પર લગાડવામાં આવ્યો
ઈમરાન ખાનના ફોનની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો
ઈમરાન ખાનના ફોનની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો
પેગાસસ ફોનનો મામલો હવે પાકિસ્તાન સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીની પણ ઇઝરાયલના સોફ્ટવેર પેગાસેસના સોફ્ટવેર દ્વારા કથિત રીતે જાસૂસીની વાત સામે આવી છે. એટલે હવે ફોન ટેપિંગ દ્વારા જાસૂસીનો આરોપ પાકિસ્તાન દ્વારા પણ ભારત પર લગાડવામાં આવ્યો છે. સાથે એવું પણ કહ્યું છે કે પાકિસ્તાન આ મુદ્દાને વધુ આગળ લઈ જશે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ઈમરાન ખાનના ફોનની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમે ભારત દ્વારા ફોન હેકિંગ વિશે રાહ જોઈ રહ્યા છીએ.
હેકિંગનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો
પેગાસસ ફોન હેકિંગનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે. કારણકે આ પેગાસસ સોફ્ટવેર દ્વારા રાજનેતાઓ તેમજ પત્રકારોની જાસૂસી કરવામાં આવતી હતી. જેથી સરકારને તેના પર રોક લગાવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે. કારણકે તેના કારણે માનવાધિકારોનું ઉલ્લંઘ થતું હોય છે.
માનવાધિકારોનું ઉલ્લંઘન
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર માટેના આયુક્ત કમિશનરે મિશેલ બૈચલેટે કહ્યું કે વિભીન્ન દેશોમાં જે રીતે પત્રકારોની, માનવાધિકાર રક્ષકોની અને રાજનેતાઓની જાસૂસી કરવા માટે પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ થઈ રહ્યો છે. તે ઘણી ચિંતાની બાબત છે. સરકારે તેમની બધીજ જાસૂસી પર રોક લગાવી જોઈએ જેના દ્વારા માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.