પાકિસ્તાનની અસલીઅત ફરી સામે આવી છે. ફરી એક વખત નાપાક પાકિસ્તાને ભારતીય રાજદૂત સાથે અમાનુષી ભર્યું વર્તન કર્યું છે. પાકિસ્તારમાં તૈનાત ભારતીય રાજદૂત અજય બિસારિયાને શુક્રવારના રાવલશપજી પાસે ગુરુદ્વારા પંજા સાહેબમાં દર્શન કરતા રોકવામાં આવ્યા હતા.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પરવાનગી હોવા છતાં બિસારિયાને પાક અધિકારીઓએ ગુરુદ્વારામાં જવા દીધા ન હતા. જોકે આ પ્રકારની એક જ વર્ષમાં આ બીજી ઘટના છે. મહત્વનું છે કે ભારતીય રાજદૂત બિસારિયા પોતાનો જન્મ દિવસ હોવાથી પત્ની સાથે ગુરુદ્વારા પંજા દર્શન માટે પહોંચ્યા હતા.
બિસારિયા પોતાની પત્ની સાથે ગુરુદ્વારા પંજા દર્શન માટે પહોચ્યા પરંતુ પાકિસ્તાની અધિકારીઓના આ પ્રકારના વ્યવહારથી તે દર્શન કરી શક્યા ન હતા.. બીજી તરફ ભારતે પાકિસ્તાનના આ પ્રકારના વલણનો વિરોધ કર્યો છે અને આ મુદ્દે પાક વિદેશ મંત્રાલયને સમન પણ મોકલવામાં આવ્યા છે.