પાકિસ્તાનમાં હિંદુઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહારો જગજાહેર જાહેર છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક વીડિયોએ પાકિસ્તાનની હલકટાઈની નવી જ ઓળખ છતી કરી છે. ગુલાબશસહને પાકિસ્તાનના પ્રથમ શીખ પોલીસ ઓફિસરનું બિરૂદ મળ્યું તો પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું. પાકિસ્તાનના અધિકારીઓ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર પોલીસ ઓફિસર ગુલાબશસહનુ ઘર ખાલી કરાવવા ધસી ગયા. એક શીખ પોલીસ ઓફિસર સમયની માગણી કરતો રહ્યો ને પાકિસ્તનાની નિર્દયી પોલીસ ઘરને તાળાં મારતી રહી. ત્યાં સુધી કે...70 વર્ષથી વસતા એ શીખ ઓફિસરને ઘરમાંથી ચપ્પલ પણ ના પહેરવાં દીધાં. જોઈએ ગુરુદ્વારા પ્રબંધકોના મૌન....પાકિસ્તાની સત્તાની જોહુકમી અને એક ઓફિસરની કાકલૂદીનો આ અહેવાલ...
પાકિસ્તાનમાં વસવાટ કરી રહેલા હિંદુઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર તો જગજાહેર છે. પરંતુ હવે પાકિસ્તાનમાં પ્રથમ શિખ પોલીસ ઓફિસરનું બિરુદ પામેલા ગુલાબશસહના સામે આવેલા વીડિયો ભારતીયોમાં હલચલ મચાવી દીધી છે. આ વીડિયો દ્વારા તેમણે દાવો કર્યો છે કે તેમને અને શીખ સમુદાયને પાકિસ્તાન સરકાર જબરજસ્તી દેશ બહાર કાઢવા માગે છે. સામે આવેલા વીડિયો મુજબ ગુલાબશસહને પોતાના લાહોર સ્થિત ઘરમાંથી બહાર કાઢવા માટે એક આખું ટોળું ઉમટી પડયું હતું. અને નોટિસ આપ્યા વગર તેમના પરિવારને બળજબરીથી ઘરબહાર કાઢી મુકવામાં આવ્યા. તેઓ પાકિસ્તાનના અધિકારીઓ અને ટોળાને કાકલૂદી કરતા રહયા પરંતુ કોઈએ તેમની વાત ન સાંભળી.
પાકિસ્તાનમાં પ્રથમ શીખ ઓફિસરનું બિરુદ પામેલા ગુલાબસિંહ 1947થી લાહોરમાં વસવાટ કરે છે. ભાગલા અને રમખાણો બાદ પણ તેમણે પાકિસ્તાનને છોડયું નહોતું. પરુંત હવે તેમને જબરજસ્તીથી દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે. તેમને ઘર ખાલી કરવા માટે 10 મિનિટનો પણ સમય આપવમા ન આવ્યો. લાહોર સ્થિત તેમના ઘરને સીલ કરી દેવામાં આવ્યુ છે. જેમાંથી તેમને જરૂરી સામાન પણ લેવા દેવામાં આવ્યો નથી. તેમના કપડા ચપ્પલ પણ તેમને લેવા દેવામાં આવ્યા નથી. ત્યાં સુધી કે માથા પર બાંધવા માટેનું કપડું પણ લેવા દેવામાં આવ્યુ નથી. વીડિયોમાં તેમના માથે બાંધેલું જે કપડું દેખાઈ રહ્યુ છે. તે એક જૂના કપડાને ફાડીને માથા પર બાંધેલું છે. તેમને સતાવવામાં આવી રહ્યા છે. તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. અને તેમને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. જો આ માટે તેમણે તારાસિંહ જે પાકિસ્તના ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પૂર્વ પ્રમુખ છે તેમને જવાબદાર ઠેરવ્યા છે.
ગુલાબશસહે દાવો કર્યે છે કે પાકિસ્તાનમાં વસી રહેલા શિખ સમુદાયને પરેશાન નહી કરવા માટેનો કાયદો પણ છે. અને ગુરુદ્રારા પ્રબંધક કમિટીની એ જોવાની જવાબદારી પણ છે. છતાં ગુરુદ્વાર પ્રબંધક કમિટીના કેટલાંક અધિકારીઓની પાકિસ્તાનના અધિકારીઓ સાથે મિલિભગતના કારણે કેટલાંક શીખોને અત્યાચારનો ભોગ બનવું પડે છે. એટલું જ નહી ગુરુદ્વારાના નામ ઉપર પ્રબંધન કમિટીએ કરોડો રૂપિયા એકઠા કર્યા છે પરંતુ તેમાંથી એક પણ રૂપિયો ખર્ચ કરવામાં આવી રહ્યો નથી...