ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, પાકિસ્તાની સેના અને આતંકી એલઓસી (LOC) પર કેરન અને ગુરેજ સેક્ટરમાં બેટ એક્શનની તૈયારીમાં છે. આ હુમલાની આશંકાને પગલે આખા LOC પર સેના હાઇ અલર્ટ પર છે.
5 ઓગસ્ટ બાદ પાકિસ્તાને 100 એસએસજી કમાન્ડો તહેનાત કર્યા
હુમલાની આશંકાને પગલે LOC પર સેનાનું હાઇ અલર્ટ
જુલાઇમાં 13 અને જુનમાં 23 આતંકીઓ માર્યા ગયા છે
5 ઓગસ્ટ બાદ પાકિસ્તાને એલઓસી પર લગભગ 100 એસએસજીના કમાન્ડો તહેનાત કર્યા છે. આપને જણાવીએ કે, બેટ ટીમમાં પાક સેનાના કમાન્ડો અને આતંકી હોય છે, જે ઘાત લગાવીને અને ઘોર અંધકારમાં ફાયદો ઉઠાવીને હુમલો કરે છે. આ હુમલાની આશંકાને પગલે આખા એલઓસી પર સેના હાઇ અલર્ટ પર છે. પાકિસ્તાનને કાશ્મીર મામલે તમામ જગ્યાએ થી નિષ્ફળતા મળી રહી છે. આ હતાશામાં પાકિસ્તાન આવા પ્રકારનો હુમલો કરવાની તૈયારીમાં છે.
જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ 5 ઓગસ્ટથી અત્યાર સુધી 8 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે જુલાઇમાં 13 અને જુનમાં 23 આતંકીઓ માર્યા ગયા હતા. આ કારણે હવે પાકિસ્તાન પાસે બેટ એક્શન સિવાય અન્ય કોઇ વિકલ્પ બચ્યો નથી.
નોંધનીય છે કે પાક સેનાએ ગત બેટ એક્શન 3 ઓગસ્ટે કેરન સેક્ટરમાં કર્યો હતો. ત્યારે તેના પાંચેય જવાન માર્યા ગયા હતા. બે દિવસ પહેલા જ ઇન્ડિયન આર્મીએ (Indian Army) જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના કેરન સેક્ટરમાં પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ (BAT)ની એક ટીમ દ્વારા ઘુસણખોરી કરવાનો નિષ્ફળ પ્રયાસનો એક વીડિયો શેયર કર્યો હતો.