દુનિયાભરમાં આતંકવાદી ગતિવિધિઓને ફન્ડિંગ કરવાને લઇને નજર રાખનારી સંસ્થા FATFની આકારણી બેઠક પહેલા પાકિસ્તાને પોતાની મોનિટરિંગ લિસ્ટથી મુંબઇમાં વર્ષ 2008માં થયેલા આંતકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને આંતકવાદી જુથ લશ્કર એ તૈયબાના ઓપરેશન કમાન્ડર ઝકી-ઉર-રહમાન લખવી સહિત 1,800 આતંકવાદીઓના નામ હટાવી દીધા છે.
PAKએ લશ્કર એ તૈયબાના ઓપરેશન કમાન્ડર સહિત 1,800 આતંકવાદીઓના નામ હટાવ્યા
અમેરિકી નિયામક ટેક્નિકલ કંપની કેસ્ટેલમ.એઆઇ એ આ અંગેની જાણકારી આપી
આ અંગેની જાણકારી અમેરિકી સ્ટાર્ટઅપે આપી છે, જે લિસ્ટને ઑટોમેટ (સ્વચાલિત) કરવાનું કામ કરે છે. આ નામ પાકિસ્તાનના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઑથોરિટી (NACTA) દ્વારા બનાવામાં આવતી લિસ્ટમાંથી હટાવી દેવાયા છે. NACTAની આ લિસ્ટની મદદથી નાણાકીય સંસ્થાઓને શંકાસ્પદ આતંકવાદીઓથી વેપાર અને લેણદેણ કરવાથી રોકવામાં આવે છે.
ન્યૂયોર્કથી સંચાલિત થનારી નિયામક ટેક્નિકલ કંપની કેસ્ટેલમ.એઆઇ મુજબ, વર્ષ 2018ની લિસ્ટમાં લગભગ 7,600 નામ હતા. ગત 18 મહીનામાં આ લિસ્ટમાં હવે ઘટીને 3,800 ના રહી ગયા છે. કેસ્ટેલમ દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, 1,800 નામ માર્ચ 2020ની શરૂઆતમાં જ હટાવી દેવાયા છે.
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, ગત 24 કલાકમાં કોરોના વાયરસથી દેશભરમાં 47 લોકોના મોત થયા છે અને 1336 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 18,601 થઇ ગઇ છે. જેમાંથી 14,759 એક્ટિવ કેસ છે. જ્યારે 3252 લોકો કોરોના બીમારીથી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 590 લોકોના મોત થઇ ચૂક્યા છે.