પાકિસ્તાનનું વધુ એક જુઠ્ઠાણું સામે આવ્યું છે. આતંકીઓ સામે કાર્યવાહી કરવાનું પાકિસ્તાને માત્ર નાટક કર્યું હોવાના જૂઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. FATFમાં બ્લેકલીસ્ટ થવાથી બચવા પાકિસ્તાને ખોટી કાર્યવાહી કરી હતી. સામાન્ય કેસ નોંધી કડક કાર્યવાહી કરતા હોવાનો દેખાવ કર્યો હતો.
FIRમાં આતંકીઓ સામે માત્ર જમીન વિવાદનો કેસ નોંધાયેલો હોવાનો ખુલાસો થયો છે. FIRમાં આતંકીઓના નામનો પણ ઉલ્લેખ ન હોવાનો ખુલાસો થયો છે. ત્યારે FATFની આંખમાં ધૂળ નાખવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો છે. કારણ કે, FATFએ પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં મુક્યું છે અને ટેરર ફંડિગ અટકાવવા FATFએ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.
1 જુલાઈએ નોંધવામાં આવી છે ફરિયાદ
1 જુલાઈએ, પાકિસ્તાનના ગુજરવાલામાં લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ દાવા સાથે સંકળાયેલા કેટલાક આતંકવાદીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી દાવાત-વાલ ઇર્શાદ નામની સંસ્થા સાથે જોડાયેલો હોવો જોઈએ. મામલો જમીનના સોદા અંગેનો હતો.
કાયદાના જાણકારો જણાવે છે કે, આ કેસ અદાલતમાં ટકી શક્યો નહીં કારણ કે, FIR માં જે દાવાત વલ ઇરશદને પ્રતિબંધિત સંગઠન ગણાવવામાં આવ્યું હતું જેનું નામ બદલીને હવે જમાત-ઉદ દાવા કરવામાં આવ્યું છે. જે લશ્કરે તોયબા સાથે જોડાયેલું સંગઠન છે.
હાફિઝ સઇદનું નામ જ નથી
એટલુ જ નહીં આ FIR માં આતકીઓના પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઇદ સહિતના ચાર અન્ય આતંકીઓના નામ જ નથી. જ્યારે આ જમીનનો ઉપયોગ આજ આતંકીઓ કરે છે. જમીનના સોદાથી જ આતંકીઓ માટે ફંડીગ પણ થયું હોય છે.
Pakistan lodging fake FIRs against terrorists to mislead FATF
કાયદાના નિષ્ણાતો કહે છે કે તમામ આરોપીઓના નામ એફઆઈઆરમાં નોંધાયેલા નથી કે એફઆઈઆરમાં તેમના ગુનાઓનો ઉલ્લેખ નથી. આપ જણાવી દઈએ કે બેંગકોકમાં ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સની બેઠક ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં યોજાવાની છે, જેમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં રાખવું કે બાકાત રાખવું જોઈએ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
આવી સ્થિતિમાં પાકિસ્તાન આતંકવાદીઓ સામે નકલી અને અધૂરા કેસ નોંધીને કાર્યવાહીના નામે દુનિયાને ગુમરાહ કરવા માંગે છે.