વર્લ્ડ કપમાં રમવાનો માર્ગ મોકળો કરતા ભારત સરકારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમને ભારત આવવાના વીઝા આપી દીધા છે.
બાબર આઝમની કપ્તાનીવાળી પાક.ટીમ માટે ગુડ ન્યૂઝ
ભારત સરકારે પાક.અફઘાન ટીમને આપ્યાં વીઝા
27 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટીમ હૈદરાબાદ પહોંચશે
પાકિસ્તાની ટીમ માટે ભારત વર્લ્ડ કપ રમવા માટેનો માર્ગ મોકળો થયો છે. ભારત સરકારે બાબરબાબર આઝમની કપ્તાનીવાળી પાક.ટીમ ભારત આવવાના વીઝા આપી દીધા છે. ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ અફઘાનિસ્તાનને પણ વીઝા આપ્યાં છે.
પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે
વીઝા મળ્યાં બાદ હવે પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે અને 29 સપ્ટેમ્બરે પહેલી પ્રેક્ટિસ મેચ રમશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે હૈદરાબાદમાં રમવાની છે.
પાક.બોર્ડે વીઝા ન મળવાની ફરીયાદ આઈસીસીને કરી હતી
વિઝા મેળવવામાં વિલંબ થવાને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ખૂબ જ ગુસ્સે ભરાયેલું લાગતું હતું. તેણે વિઝા મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને જણાવ્યું હતું અને ફરિયાદ પણ કરી હતી. પીસીબીએ આઈસીસીને કહ્યું હતું કે, વિઝામાં વિલંબ થવાથી પાકિસ્તાનની ટીમની તૈયારીઓ પર અસર પડી શકે છે.