પાકિસ્તાને કુલભૂષણ જાધવને સોમવારે કાઉન્સેલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની જેલમાં બંધ કુલભૂષણ જાધવને સોમવારે કાઉન્સેલર સંબંધો પર વિયાના કન્વેશન, આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના નિર્ણય અને પાકિસ્તાનના કાનૂનો અનુરુપ પ્રદાન કાઉન્સિલર એક્સેસ આપવામાં આવશે.
પાકિસ્તાનના આ પ્રસ્તાવ પર ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે ભારત ઇચ્છે છે કે જાધવને વિના કોઇ મોનિટરીંગે કાઉન્સેલર એક્સેસ મળશે. કુલભૂષણ જાધવને દૂતાવાસ મદદની મંજુરી આપવા માટે પાકિસ્તાનના વચનના લગભગ 6 સપ્તાહ બાદ ઇસ્લામાબાદની તરફથી ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દા પર તે ભારતના સંપર્કમાં છે.
નોંધનીય છે કે એક ઓગસ્ટે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય નેવીના સેવાનિવૃત અધિકારી જાધવને બીજા દિવસે દુતાવાસ મદદ ઉપલબ્ધ કરાવાશે.
કુલભૂષણ જાધવ (49)ને પાકિસ્તાનની એક સેન્ય કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. ત્યારબાદ ભારતને હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. આઇસીજીએ 17 જુલાઇએ પાકિસ્તાનને જાધવની દોષસિદ્ધિ અને સજાની પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ વિના વિલંબે એમને દૂતાવાસ મદદ પહોંચાડવા કહ્યું હતું.
પાકિસ્તાને દૂતાવાસ મદદ માટે જે શરત રાખી હતી, તેમાંથી એક શરત કથિત રીતે એ હતી કે જ્યારે જાધવ ભારતીય અધિકારીઓને મળશે ત્યારે એક પાકિસ્તાની અધિકારી પણ હાજર રહેશે.