પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી હવે ભારતની નવી સરકાર સાથે વાતચીત કરવા માગે છે. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાને એક ટેબલ પર બેસીને વાતચીત કરવી જોઈએ. જેથી વણઉકલ્યા મુદ્દાઓનું નિરાકરણ આવી શકે.
વાતચીત કરીને મુદ્દાઓનું નિરાકરણ આવે તો ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. તેમનું આ નિવેદન એ સમયે આવ્યુ છે કે જ્યારે નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. સાથો સાથ ઈમરાન ખાને પણ નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પણ પાઠવી.
ઈમરાને ઈચ્છા વ્યક્ત કરી કે બંને ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ માટે મળીને કામ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈમરાને ખાને કહ્યું હતુ કે, નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બને તો ભારત સાથે શાંતિ વાર્તા અને કશ્મીર મુદ્દે નિરાકરણ લાવવાની એક સારી તક હોઈ શકે છે.