અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેને લઈને પાકિસ્તાનને પેટનો દુઃખાવો થઈ રહ્યો છે.
અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા
અભિનંદને લઈને પાકિસ્તાનને પેટનો દુઃખાવો થઈ રહ્યો છે
પાકિસ્તાને ફગાવ્યો હતો દાવો, અને ટ્વીટ પર ટ્વીટ કરી રહ્યા છે પાક. નેતાઓ
અભિનંદને લઈને પાકિસ્તાનને પેટનો દુઃખાવો થઈ રહ્યો છે
પોતાના અદમ્યા શૌર્ય અને સાહસથી પાકિસ્તાની આ્મીને હેરાન કરી દેનારા ભારતીય એક ફોર્સ ગ્રુપ કેપ્ટન અભિનંદરન વર્ધમાન એક વાર પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. હકિકતમાં અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેને લઈને પાકિસ્તાનને પેટનો દુઃખાવો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અભિનંદરન 2019માં પાકિસ્તાનની સાથે એર અથડામણ દરમિયાન દુશ્મનના એફ 16 ફાઈટર વિમાનને તોડી પાડ્યુ હતુ. આ દરમિયાન તેમનું મિગ 21 બાઈસન ક્ષતિગ્રસ્ત થયુ હતુ જેને બાદમાં પાકિસ્તાન સેનાએ બંધક બનાવ્યું હતુ.
પાકિસ્તાને ફગાવ્યો હતો દાવો
પાકિસ્તાની અખબર ડોને લખ્યું કે IAFના પાયલટ અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદનને ફેબ્રુઆરી 2019માં એક પાકિસ્તાની F-16 વિમાનને તોડી પાડ્યુ હોવાને લઈને સન્માન આપવામાં આવ્યું છે. જો કે ભારતના આ દાવાને પાકિસ્તાને ફગાવી દીધો છે. એટલું જ નહીં સૈન્ય સ્વતંત્ર પર્યવેક્ષકોની સાથે સાથે આંતરાષ્ટ્રીય મીડિયાનએ પણ આને ફગાવી દીધો હતો.
ત્યારે પાકિસ્તાની પીપીપીના શેરી રહેમાને ટ્વીટ કરી પોતાની હલકી માનસિક્તાનો પરિચય આપ્યો છે. તેમણે ટ્વીટ કરી કે, ‘શું એ સાચું છે કે પાકિસ્તાનની ક્ટડીમાં ચા પીવા માટે ઈનામ? પીએમ ઈમરાન ખાનના ડિજિટલ મીડિયા સલાહકાર અર્સલાન ખાલિદે પણ ટ્વીટ કરી એ જણાવ્યું કે અભિનંદરનના સન્માનથી તેમની મર્ચા લાગ્યા છે.
Fantastic 😂 Actually I feel for Abhinandan. Just because of @narendramodi and Indian media denial of the defeat and embarrassment they had bk then, poor Abhinandan is reminded of the episode every second month. https://t.co/tXTDHihrT7pic.twitter.com/204G0RTIxL
અર્સલાન ખાલિદે લખ્યું કે શાનદાર, વાસ્તવમાં હું અભિનંદન માટે એ અનુભવી રહ્યો છું કે ફક્ત પીએમ મોદી અને ભારતીય મીડિયાના હાર અને શરમને સ્વીકાર કરવાથી ઈન્કારના કારણે અભિનંદરને દર બીજા મહિને સમગ્ર એપિસોડની યાદ અપાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વિંગ કમાન્ડર અભિનંદન હવે ગ્રુપ કેપ્ટન બની ચૂક્યા છે. ભારતીય સેનામાં ગ્રુપ કેપ્ટન રેંક કર્નલ બરાબર છે. જ્યારે અભિનંદને પાકિસ્તાની ફાયટર પ્લેનને તોડી પાડ્યું હતુ તે સમયે તે 51 સ્ક્વોડ્રનનો ભાગ હતા.