રક્ષામંત્રી રાજનાથસિંહે પૂણેમાં રાષ્ટ્રીય રક્ષા એકેડમીના 137માં કોર્સ ની પાસિંગ આઉટ પરેડ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનો સહારો લઇને ભારત સાથે પ્રોક્સી યુધ્ધ કરી રહ્યું છે, પરંતુ આજે હું આ સંપૂર્ણ જવાબદારી સાથે કહી રહ્યો છું કે આ યુદ્ધમાં ક્યારેય જીતી શકશે નહીં.
પાકિસ્તાનને લઈને રાજનાથસિંહનું નિવેદન
પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિમાં લીપ્ત
પરંતુ પાકિસ્તાન ક્યારેય જીતી નહીં શકે
રાજનાથસિંહે કહ્યું કે જે રીતે આતંકવાદના મુદ્દા પર વિશ્વની સામે પાકિસ્તાનનો પર્દાફાશ થયો છે અને પુરી દુનિયાથી અલગ-થલગ પડ્યું છે, તેનો સૌથી મોટો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૂશળ કૂટનીતિને જાય છે.
રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે પાકિસ્તાન અલગ-થલગ પડ્યું છે. જે રીતે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનની હકીકત સામે આવી છે જેને લઇને અલગ-થલગ પડ્યો છે. પાકિસ્તાન ભારત સાથે આતંકવાદને લઇને પ્રોક્સી યુધ્ધ કરી રહ્યું છે, પણ ક્યારેય જીતી શકશે નહીં. પાકિસ્તાન જાણે છે કે તે ક્યારેય ભારત સામે પરંપરાગત યુધ્ધમાં જીતી શકશે નહીં.