બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાન તરફથી એક સારા સમાચાર મળ્યા છે. પાકિસ્તાને પોતાની જેલોમાં બંધ કુલ 360 ભારતીયોને છોડશે. જેમાં પોરબંદર અને ગુજરાત 355 માછીમારોને મુક્ત કરશે.
બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાન તરફથી એક સારા સમાચાર મળ્યા છે. પાકિસ્તાને પોતાની જેલોમાં બંધ કુલ 360 ભારતીયોને છોડશે. જેમાં પોરબંદર અને ગુજરાત 355 માછીમારોને મુક્ત કરશે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને પાકિસ્તાન તબક્કાવાર રીતે છોડશે. આજે 100 માછીમારો વતન પરત ફરશે. જેમાં 5 સિવિલન્યસ પણ મુક્ત કરાશે. વાઘા બોર્ડરથી માછીમારો ભારત પરત આવશે.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાન ચાર તબક્કામાં કેદીઓને જેલમાંથી છોડશે. જેમાં 5 નાગરિકો છે, જ્યારે અન્ય 355 માછીમારો છે.
પાકિસ્તાનની જેલોમાં સબડતા ભારતીય માછીમારોના છૂટકારા તેમજ તેમને ભારત પહોંચાડવાનું કાર્ય કરતી સંસ્થાના જણાવ્યા અનુસાર, કુલ 360 માછીમારોને મુક્ત કરવામાં આવશે જેમાંથી 355 માછીમારો ગુજરાતના છે. જીવન જંગીએ માછીમારોની મુક્તિનો સંપૂર્ણ કાર્યક્રમ આપતા કહ્યું હતું કે 100 માછીમારોનો પ્રથમ બેચ 7 એપ્રિલે મુક્ત કરાશે ત્યારબાદ બીજા 100-100 માછીમારો તબક્કાવાર 15 અને 22 એપ્રિલે અને બાકીના 60 માછીમારોને 29 એપ્રિલે મુક્ત કરવામાં આવશે.