પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ટ્વિટર પર આજીજી કરી રહ્યા છે. ઇમરાન ખાને ટ્વિટર પર ભારત વિરુદ્ધ ખોટા આરોપોનો વરસાદ કરી દીધો છે અને કહ્યું છે કે શું દુનિયાના નેચા આ માટે પગલા ભરશે?
જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇણરાન ખાન દુનિયાની સામે મદદ માટે આજીજી કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનના પ્રોપેગેન્ડાને કોઇ દેશનો સાથ મળી રહ્યો મથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી ચીન પ્રવાસે છે અને ચીન પાસેથી જમ્મુ કાશ્મીર પર મદદ માંગી રહ્યા છે. પરંતુ ત્યાં પણ પાકિસ્તાનને નિરાશા હાથ લાગી છે.
ચારે બાજુથી નિરાશા હાથ લાગતા જોઇને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ટ્વિટર પર હવે કગરવા લાગ્યા છે. ઇણરાન ખાને ટ્વિટર પર ભારતની વિરુદ્ધ ખોટા આરોપોનો વરસાદ કરી દીધો છે અને કહ્યું છે કે શું દુનિયાના નેતા આ માટે કોઇ પગલા ભરશે?
ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીરમાં કર્ફ્યૂ છે અને ત્યાં કાશ્મીરીઓ સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી રહ્યું છે. ઇમરાન ખાને દુનિયાની સામે આજીજી કરતાં કહ્યું કે શું વર્લ્ડ લીડર્સ આ મામલે કંઇ પહેલ કરશે. ઇમરાન ખાનનો આરોપ છે કે કાશ્મીરની આબાદીની પેટર્ન બદલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જણાવી દઇએ કે ઇમરાનના આરોપો ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં હાલાત ઝડપથી સામાન્ય થઇ રહી છે. શ્રીનગરમાં શનિવાર અને રવિવાર બકરીઇદની જોરદાર ખરીદી થઇ. રાજ્યમાં લોકો બકરીઇદ પરંપરાગત હર્ષ અને ઉલ્લેસથી મનાવી શકે એના માટે જમ્મુ કાશ્મીર પ્રશાસને ઘણા પ્રયત્નો કર્યા છે.
ઘણા દેશોએ ભારતનું કર્યું સમર્થન
ભારતને દુનિયાના ઘણા દેશોથી જમ્મુ કાશ્મીરથી ધારા 370 હટાવવાના નિર્ણયનું સમર્થન મળ્યું છે. આ નિર્ણય પર ભારતનું સમર્થન રશિયાએ પણ કર્યું છે. રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વિભાજીત અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય સંવિધાન અનુસાર જ લેવામાં આવ્યો હતો. રશિયાએ કહ્યું હતું કે, મૉસ્કોને આશા છે કે જમ્મુ કાશ્મીર રાજ્ય પર દિલ્હી દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવમાં વૃદ્ધિ થશે નહીં.
બીજી બાજુ આ સમસ્યા પર ચીને અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જે પાછો લેવાના નિર્ણયને પ્રત્યક્ષ રૂપથી ઉલ્લેખ નહીં કરતા કહ્યું કે પ્રાથમિકતા એ છે કે પ્રાસંગિક પક્ષ ઇચ્છે છે કે એ તણાવ વધારે નહીં.
નિયામક પ્રાધિકરણે શનિવારે જારી એક અધિસૂચનામાં કહ્યું, 'કાશ્મીરની સાથે એકજૂથ વ્યક્ત કરવા માટે, ઇદ ઉલ અજહાને ધાર્મિક પર્વના રૂપમાં સાદગીની સાથે મનાવવામાં આવી રહ્યો છે. એટલા માટે એવો અનુરોધ કરવામાં આવે છે કે કોઇ વિશેષ કાર્યક્રમ ના થાય. ઇદને જશ્નના રૂપમાં પ્રસારિત થવાના કારણે એનાથી આપણા રાષ્ટ્ર અને કાશ્મીરી ભાઇઓની ભાવનાઓને ઇડા પહોંચી શકે છે. '