અમરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનના નિવેદનથી પાકિસ્તાન હચમચી ગયું, પાકિસ્તાનના પ્રધામંત્રી શહબાજ શરીફે કહ્યું બાઈડેનની વાત જરા પણ સાચી નથી
બાઈડેનના નિવેદનથી હચમચી ગયું પાકિસ્તાન
પાક PMકહ્યું બાઈડેનની વાત જરા પણ સાચી નથી
પાકિસ્તાનના મંત્રીએ કહ્યું નિવેદનથી હેરાન છું
અમરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિવેદનથી પાકિસ્તાન હચમચી ગયું છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફને જો બાઈડેના જૂના નિવેદનને નકારી કાઢ્યું હતું, જે તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારો વિશે આપ્યું હતું. આ પહેલા પાકિસ્તાને અમેરિકાના રાજદૂતને પણ બોલાવ્યા હતા. પાકિસ્તાનના પ્રધામંત્રી શહબાજ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેના પરમાણુ હથિયારો વિશેના નિવદેનને નકારી કાઢ્યું છે. શહબાજ શરીફ જો બાઈડેનના નિવેદનને તથ્યાત્મક રીતે ખોટું અને ભ્રામક પણ ગણવ્યુ છે.
પાકના પ્રધાનમંત્રીના કાર્યાલયની માહિતી
પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દશકોમાં પાકિસ્તાન સૌથી વધુ જવાબદારીક દેશ સાબિત થયો છે. તેમજ તેણે પરમાણુ કાર્યાલયના ટેકનીક રૂપથી સુરક્ષિત અને સંપૂર્ણ રીતે કમાંડ એન્ડ કંટ્રોલ રૂપથી ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફને કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ હથિયારો માટે જવાબદાર નેનૃત્વનો પણ લગાતાર પ્રદર્શન પણ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષા અને IAEA સહિતના વૈશ્વિક માપદંડો પર ખરો છે. જો બાઈડેનની ટીપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, બાઈડેનની વાત જરા પણ સાચી નથી. વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો બરદારીને કહ્યું કે, પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટિપ્પણીથી "હેરાન" છે. મહત્વનુ એ છે કે, આ ટિપ્પણીથી પાકિસ્તાને ઈસ્લામાબાદમાં અમેરિકાના રાજદૂતને પણ બોલાવ્યા છે.
બાઈડેને શુ કહ્યું હતું
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, મને લાગે છે દુનિયાના ખતરનાક દેશમાંથી એક દેશ પાકિસ્તાન છે કેમ કે, તેની પાસે કોઈ પણ સમજોતા વગર હથિયાર અને પરમાણું છે. તેમણે આ વાત ડેમોક્રેટિવ કોંગ્રેસની અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી હતી. જેમાં રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ સંઘર્ષની અસર પૂરી દુનિયા પર પડ્યું છે. તેમજ તમણે અન્ય દેશોની સાથે વોશિંગટનના સંબંધો વિશેની પણ વાત કરી હતી.
પાક. વિદેશ મંત્રીનું નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવન ભુટ્ટોને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડનના નિવેદનથી હેરાન છું અને મને લાગે છે કે આ એક પ્રકારની ભૂલ પણ છે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાને થોડા સમય પહેલા જ અમેરિકા સાથે દ્રિપક્ષીય સંબોધોની 75મી વર્ષગાંઠ મનાવી છે. તેમણે કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની વાત હોય તો એમને આ બાબતની વાત એ બેઠકમાં કરવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, ભારત પર પરમાણુ હથિયારોની સુરક્ષાના બાબતે સવાલ કરવામાં આવવા જોઈએ જેણે આ વર્ષના માર્ચ મહિનામાં ભૂલથી મિસાઈલ પાકિસ્તાન પર છોડી દીધી હતી.