સેનેટ ચૂંટણીમાં કારમા પરાજય બાદ સંસદમાં ઈમરાનખાન વિશ્વાસમત જીતવામાં સફળ રહ્યાં છે. ઈમરાન ખાનને 178 વોટ મળ્યાં.
વિપક્ષના બહિષ્કારને કારણે ઈમરાન ખાન વિશ્વાસ મત જીતી શક્યા
સંસદની બહાર વિપક્ષી નેતાઓ પર જૂતા ફેંકાયા
મુસ્લિમ લીગના નેતા મરિયમ નવાઝ પર હુમલો કરાયો
પાકિસ્તાની સંસદમાં શનિવારે વિશ્વાસ મતનું વોટિંગ થયું હતું પરંતુ વિપક્ષના બહિષ્કારને કારણે ઈમરાન ખાન સરળતાથી વિશ્વાસ મત જીતી શક્યા હતા.
વિપક્ષી સાંસદો અને નેતાઓએ સંસદની બહાર જોરદાર હોબાળો મચાવ્યો
વિપક્ષી સાંસદો અને નેતાઓએ સંસદની બહાર જોરદાર હોબાળો મચાવ્યો હતો. ફ્લોર ટેસ્ટનો બહિષ્કાર કરીને સંસંદની બહાર દેખાવ કરી રહેલા વિપક્ષી નેતાઓ પર જૂતા ફેંકવામાં આવ્યાં હતા. મુસ્લિમ લીગના નેતા મરિયમ નવાઝ પર હુમલો કરાયો હતો. તેમને ગડદાપાટૂનો માર પણ મારવામાં આવ્યો હોવાની ખબર છે.સંસદમાં જ્યારે વિશ્વાસ મત પર મતદાન ચાલી રહ્યું હતું ત્યારે બહાર કંઈક જુદો નજારો ચાલી રહ્યો હતો. સંસદની બહાર પાર્ટીના સમર્થકોએ પીએમએલ-એન નેતાઓ સાથે ગેરવર્તાવ કરવા લાગ્યા અને પૂર્વ વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીને પણ દોટ મૂકવી પડી હતી.
— Prime Minister's Office, Pakistan (@PakPMO) March 6, 2021
સંસદમાં વિપક્ષી સભ્યોએ વિશ્વાસ મતનો બહિષ્કાર કર્યો હતો. વોટિંગ પહેલા સેનેટ ચેરમેને વિપક્ષના સભ્યોને સંસદમાં આવવા માટે 5 મિનિટનો સમય આપ્યો હતો જોકે એક પણ સભ્ય હાજર રહ્યાં નહોતા. ત્યાર બાદ સંસદના તમામ દરવાજા બંધ કરીને વોટિંગ થયું હતું. વિદેશમંત્રી મહમૂદ કુરેશીએ વિશ્વાસ મત રજૂ કર્યો હતો. જેના જવાબમાં ઈમરાનને 178 સભ્યોનો સાથ મળતા તેઓ સરળતાથી વિશ્વાસ મત જીતી ગયા હતા.
હકીકતમાં સેનેટ ચૂંટણીમાં સરકારના નાણામંત્રી હફીઝ શેખ વિપક્ષી ઉમેદવાર યુસુફ રજા ગિલાણીની સામે હારી ગયા હતા જે પછી સરકારના રાજીનામાની માગ ઉઠી હતી. આ પછી સરકારે વિશ્વાસ મત સાબિત કરવાની જાહેરાત કરી હતી.