પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) ભારતના દુશ્મનને પાઠ ભણાવવા માંગે છે. જાણીને નવાઇ લાગી પરંતુ આ સત્ય છે. ઇમરાન ખાને પાકિસ્તાન સંસદ નેશનલ અસેમ્બલીમાં કહ્યું કે જમીયત ઉલેમા એ ઇસ્લામના ચીફ મૌલાના ફઝલુર રહમાન પર દેશદ્રોહનો કેસ ચલાવવો જોઇએ.
ઇમરાન ખાન ભારતના દુશ્મનને પાઠ ભણાવવા માંગે છે
ઇમરાન ખાન ફઝલુર રહમાન પર દેશદ્રોહનો કેસ ચલાવવા ઇચ્છે છે
ફઝલુર રહમાન જમીયત ઉલેમા એ ઇસ્લામ પાર્ટીના અધ્યક્ષ છે
જોકે, આ માંગનો ભારત સાથે કોઇ લેવા દેવા નથી. ખરેખર તો આ ઇમરાન ખાનનો ખુદનો એક ડર છે. ઇમરાન ખાને કહ્યું કે ફઝલુર રહમાને તેમની સરકાર પાડી દેવા માટે ષડયંત્ર રચ્યું છે.
ઇમરાન ખાન પાકિસ્તાન તહરીકે ઇન્સાફ એટલે કે પીટીઆઇના નેતા છે. તેમની ફઝલુર રહમાન સાથે બનતી નથી. ઇમરાન ખાનની માંગનો નેશનલ અસેમ્બલીમાં જોરદાર વિરોધ થયો છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે જો મૌલાના ફઝલુર રહમાન અને ખ્વાઝા આસિફની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચાલે છે તો આ ખુબ જ ખોટુ ગણાશે.
તેઓ કહે છે કે, અહીં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અહસાનુલ્લા અહસાન ચકમા આપીને ભાગી જાય છે તો કંઇ નથી થતું પરંતુ રાજકીય નેતૃત્વની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે ઇમરાન ખાન બતાવે કે કયા કારણોસર ફઝલની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ખ્વાજા આસિફે કહ્યું કે તેઓને ઇમરાન ખાનથી દેશભક્તિનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. ખ્વાજા આસિફ પાકિસ્તાન મુસ્લિમ લીગ -નવાજ (PML-N) ના નેતા છે. ખ્વાજાએ કહ્યું કે પાકિસ્તાન કંગાળ થવાના આરે છે. જરૂરી ચીજવસ્તુઓની કિંમતો આસમાને પહોંચી છે. આ હકીકતોથી મોંઢુ છુપાવવા માટે જ ઇમરાન ખાન ષડયંત્ર રચી રહ્યા છે.
કોણ છે ફઝલુર રહમાન
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તમાં ફઝલુર રહમાનનો ગઢ છે. તેમની પાર્ટી જમીયત ઉલેમા એ ઇસ્લામને કટ્ટર ધાર્મિક પાર્ટી કહેવામાં આવે છે. મૌલાના ભારતની વિરુદ્ધ ઝેર ઓકતા રહેતા હોય છે અને કાશ્મીરના મુદ્દા પર ઘણી વાર હાફિઝ મોહમ્મદ સઇદની સાતે ઉભા નજરે પડ્યા છે ફઝલુર રહમાને ઘણીવાર ભારત વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું છે. તેઓ નેશનલ અસેમ્બલીમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.