પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકી આપી છે. ઈમરાન ખાને કહ્યું કે ભારત પોતાના સૈન્ય હુમલાને ચાલુ રાખશે તો પાકિસ્તાન મૂક દર્શક બની રહેશે નહીં. તે પણ વળતો જવાબ આપશે.
ઈમરાન ખાને ભારતને આપી ધમકી
ભારતીય સૈન્ય હુમલા ચાલુ રાખશે તો અમે મૂકદર્શક નહીં બનીએઃ ઈમરાન ખાન
સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે પાકિસ્તાન
રવિવારે ઇમરાન ખાને ટ્વિટ કર્યું હતું કે, "હું ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ કરવા માંગુ છું કે જો ભારત નિયંત્રણ રેખા (એલઓસી) પર સૈન્ય કાર્યવાહી ચાલુ રાખે તો પાકિસ્તાન મૌન દર્શક નહીં રહે." ખરેખર, પાકિસ્તાનના યુદ્ધ વિરામના ઉલ્લંઘન પછી ભારત જવાબી કાર્યવાહી કરે છે. ઈમરાન ખાનને આ બદલો જોઈને આંચકો લાગ્યો છે.
As Indian Occupation forces continue to target & kill civilians across the LOC with increasing intensity & frequency, there is an urgent need for UN SC to insist India allow UNMOGIP return to IOJK-side of LOC. We fear an Indian false flag operation.
ભારત ગોળીબાર કરે છે અને સ્થાનિકોને નિશાન બનાવે છેઃ ઈમરાન ખાન
અન્ય એક ટ્વિટમાં ઇમરાન ખાન કહે છે કે ભારત એલઓસી પર સતત ગોળીબાર કરે છે અને સ્થાનિક લોકોને નિશાન બનાવે છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આ મામલામાં દખલ કરવાની જરૂર છે. રાષ્ટ્રીય લશ્કરી નિરીક્ષક જૂથ (યુએનએમઓજીઆઈપી) એ ભારતીય પ્રવૃત્તિ પર નજર રાખવી જોઈએ અને કાશ્મીરની મુલાકાત લેવી જોઈએ. ભારતીય સેનાના ફ્લેગ ઓપરેશનથી અમને ડર લાગે છે.
I want to make clear to India and the international community that if India continues its military attacks killing civilians across LOC, Pakistan will find it increasingly difficult to remain an inactive observer along the LOC.
પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે
ભારતની નીતિ પહેલા ક્યારેય હુમલો કરવાની નહોતી. આવી સ્થિતિમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના ફાયરિંગના જવાબમાં કાર્યવાહી કરવાની રહેશે. ભારત સરહદ પર શાંતિ ઇચ્છે છે, જ્યારે પાકિસ્તાન સતત સરહદી વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં સતત યુદ્ધવિરામ ભંગ કરી રહ્યું છે. પાકિસ્તાન સરહદ વિસ્તારોમાં મોર્ટારનો મોટો જથ્થો છે. શનિવારે પણ પાકિસ્તાને બે વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને નાના હથિયારોનો ઉપયોગ કર્યો, ગોળીબાર કર્યો અને મોર્ટાર ચલાવ્યાં.
શનિવારે પણ ભારતીય સેનાએ આપ્યો હતો ફાયરિંગનો વળતો જવાબ
ભારતીય સેનાએ શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેંઢર સેક્ટરમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન બપોરે 12.30 થી બપોરે 1.15 વાગ્યા સુધી થયું હતું. ભારતીય ટીમે યોગ્ય જવાબ આપ્યો. આ પછી પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર ફરી ફાયરિંગ શરૂ કરી દીધી હતી.
ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે પાકિસ્તાન
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ દાવો કર્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગની ઘટનાઓ ગયા વર્ષની તુલનામાં બમણી થઈ છે. વર્ષ 2018માં તે સંખ્યા 1,629 હતી, જ્યારે આ વર્ષે તે વધીને 3,200 થઈ ગઈ છે. પાકિસ્તાની સેના કેરન ઘાટી, પૂંછ, ઉરી, કૃષ્ણાઘાટી અનને અખનૂર સેક્ટરમાં સતત ગોળીબારી કરી રહી છે. વર્ષ 2019ના ડિસેમ્બરમાં આ પ્રકારની 340 ઘટનાઓ બની હતી. આ પહેલાં આ સમયમાં આ આંકડા 175નો હતો.
ઉલ્લેખનીય છે કે શિયાળામાં યુદ્ધ વિરામ તોડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે પણ આ વખતે આ સ્થિતિ વધી હતી. આર્ટિકલ 370ને રદ કરવાને માટે અને જમ્મૂ કાશ્મીરથી વિશેષ દરજ્જો પાછો લેવા માટે પાકિસ્તાન સતત સીમા પારથી ગોળીબારી કરીને યુદ્ધ વિરામની સ્થિતિને તોડી રહ્યું છે.