ઇસ્લામાબાદઃ ભારત સાથે શાંતિ વાર્તાના પ્રયત્નો વચ્ચે ઇમરાન ખાને પહેલીવાર કહ્યું કે આતંકવાદ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ અમારા હિતમાં નથી. તેમણે એક વાર ફરી દોસ્તીનો હાથ લંબાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની વાત કરી છે.
ઇમરાને આતંકવાદ અને વાતચીત એક સાથે ન હોવાના ભારતના નિર્ણયનું સમર્થન કર્યું છે. સાથે જ તેમણે કહ્યું કે આતંકવાદીઓને રોકવા માટે પાકિસ્તાને કઠોર નિર્ણયો લેવા પડશે. બોર્ડર પર આતંક ફેલાવનારાઓને આશ્રય ન આપવા માટે પાકિસ્તાને મહત્વના નિર્ણયો લેવા પડશે.
ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતા ઇમરાને કહ્યું કે પાકિસ્તાનના લોકો પણ ભારત સાથે સંબંધ સુધારવા માંગે છે. અહીંના લોકોના વિચારોમાં ઘણો બદલાવ છે. મને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને વાતચીત કરીને ખુશી થશે.
કાશ્મીર મુદ્દા ઉકેલાવને લઇને ઇમરાને કહ્યું અશક્ય કંઇ પણ નથી. હું કોઇ પણ મુદ્દા પર વાત કરવા માટે તૈયાર છું. સેનાની મદદથી કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાય છે. શાંતિ માટે પહેલ એકતરફી ન હોઇ શકે.
ઇમરાને કહ્યું કે અમે ભારતમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા છીએ. ત્યાર બાદ દિલ્હીથી વાત કરવામાં આવશે. ઇમરાને હાફિઝ સઇદને સજા આપવાના સવાલ પર કહ્યું કે હાફિઝ સઇદ પર સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધ લગાવી દીધો છે જેનાથી તેના પર ઘણો દબાવ છે.
ઇમરાન ખાને વિવાદાસ્પદ ટ્વીટ 'મોટી ઓફિસોમાં બેસનારા નાના લોકો' પ્રધાનમંત્રી મોદી માટે નહોતું. જો કે તેમણે એ પણ સ્પષ્ટ નહોતું કર્યું કે આ ટ્વીટ કોના માટો હતું. ઇમરાન ખાનનું કહેવું છે કે શાંતિ માટે સહમતિ બની છે. જેને અશાંતિ પેદા કરનાર ન સમજો.