ઈમરાને કહ્યું કે વિપક્ષી દળ દેશના લોકતંત્રની મજાક બનાવી રહ્યા છે. ઈમરાને આરોપ લગાવ્યો કે સેનેટની ચૂંટણીમાં વિપક્ષી કેન્ડિડેટ યુસુફ રજા ગિલાનીએ મન મુકીને પૈસા વહેંચ્યા છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી અબ્દુલ્લા હફીજ શેખની હાર બાદ ઈમરાને સંસદમાં શનિવારે વિશ્વાસમત લેવાનું એલાન કર્યુ છે. તેમણે પોતાના સંબોધનમાં ચોખે ચોખ્ખુ કહ્યું કે તે વિપક્ષમાં બેસવા
તૈયાર છે પરંતુ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન નથી આપવાના.
કોઈ વાંધો નહીં હું વિપક્ષમાં જતો રહીશ -ઈમરાન ખાન
ઈમરાન ખાને કહ્યું તેમને એવો વહેમ હતો કે તેઓ મારા ઉપર નો કોન્ફિડેન્સની તલવાર લટકાવશે અને મને ખુરશીથી પ્રેમ છે તો હું તેમના બધા કેસ ખતમ કરી દઈશે. પણ હું વિશ્વાસ મત લેવા જઈ રહ્યો છું. હું સંસદમાં સૌની સાથે વિશ્વાસ માંગીશ. હું મારી પાર્ટીના લોકોને પણ કહીશ કે તમે જો મારી સાથે નથી તો એ તમારો હક છે. તમે સંસદમાં હાથ ઉઠાવીને કહી દો. કોઈ વાંધો નહીં હું વિપક્ષમાં જતો રહીશ.
વિપક્ષી નેતાઓને નહીં છોડું
વિપક્ષી નેતાઓને પડકાર આપતા ઈમરાન ખાને કહ્યું કે હું (રાષ્ટ્રીય)વિધાનસભાથી વિશ્વાસ મત લેવા જઈ રહ્યો છું. ચાહે હું વિપક્ષામાં બેસુ કે વિધાનસભાની બહાર રહુ હં તમને(વિપક્ષ નેતાઓ)ને ત્યાં સુધી નહીં છોડુ જ્યાં સુધી આ દેશના પૈસા પાછા નથી કરતા. મારી જિંદગી પર કોઈ ફર્ક નહીં પડે. જ્યાં સુંધી જીવીશ હું મારા દેશની વતનપર્તી માટે તેમને સામનો કરતો રહીશ.
રાજનીતિમાં પૈસા કમાવા નથી આવ્યો
ઇમરાને કહ્યું કે હું રાજનીતિમાં પૈસા કમાવા નથી આવ્યો. મારી પાસે પહેલાથી પૈસા અને ઈજ્જત હતી કે હું પુરી જિંદગી શાંતિથી ચેનથી રહી શકું. પરંતુ મે દેશ માટે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો. હું કોઈ પણ કિંમતે ભ્રષ્ટાચાર સાથે સમજૂતિ નહીં કરું.