નિવેદન / કાશ્મીરના મુદ્દે ઈમરાન ખાને કહ્યું, ભારત એક પગલું ભરશે તો અમે 2 પગલા ભરીશું

pakistan pm imran khan said india moves one step to resolve kashmir issue with us

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને શુક્રવારે કાશ્મીર એકજુટતા દિવસ મનાવતા આરોપ લગાવ્યો કે ભારત કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે. ઈમરાન ખાનને ટ્વીટ કરી કહ્યું કે પાકિસ્તાન ઉપમહાદ્વીપમાં હંમેશા શાંતિ માટે ઉભુ રહ્યું છે પરંતુ આ માટે માહોલ બનાવવાની જવાબદારી ભારતની છે. તેમણે કહ્યુ કે જો ભારત સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો મુજબ કાશ્મીરના મુદ્દાને ન્યાયપૂર્ણ સમાધાન માટે ગંભીરતા દર્શાવે તો અમે શાંતિ માટે 2 પગલા ભરવા તૈયાર છીએ.

બ્રેકિંગ ન્યૂઝ