નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાના પાંચ દિવસ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે હિન્દુસ્તાનની સરકાર પુલવામા હુમલાને લઇને વગર કોઇ પુરાવાએ પાકિસ્તાન પર આરોપો થોપી રહ્યું છે. પાકિસ્તાન શા માટે આતંકવાદી હુમલા કરે? એનો અમને શું ફાયદો? જો ભારતની સરકાર અમને કોઇ પૂરાવા આપશે તો અમે આ મામલા પર તપાસ કરવામા માટે તૈયાર છે. ઇમરાનને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભારતને ભાષણ નહીં મસૂદ અઝહરને પકડીને આપો.
અમરિંદરે કહ્યું કે તમારી પાસે જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર છે તો બહાવલપુરમાં બેઠો છે. આઇએસઆઇની મદદથી આતંકવાદી હુમલાઓને અંજામ આપી રહ્યો છે. જાઓ તેને ત્યાંથી ઉઠાવો અને ભારતના હવાલે કરો જો તમે નહીં કરી શકો આ તો અમને જણાવો. મુંબઇના 26/11 હુમલાના સબૂત આપ્યા તેનું શું કર્યું જણાવો?
તમામ દળોએ ઇમરાન ખાનના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ખુન ક્યારે પોતાનો ગુનો કબૂલ કરે છે? શું ક્યારેય પાકિસ્તાન પોતાની કરતૂતોને સ્વીકારી છે? ભારત નબળુ નથી આનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે.
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે ઇમરાન ખાન આતંકવાદીઓના અહેસાનનો બદલો ચૂકવી રહ્યા છે. પાક ચૂંટણી દરમિયાન મસૂદ અઝહરે ઇમરાન ખાન માટે પ્રચાર કર્યો હતો. તેવામાં ઇમરાન ખાને મસૂદ અઝહરનો બચાવ કર્યો તે કોઇ આશ્ચર્યની વાત નથી.
જેડીયૂ નેતા કેસી ત્યાગીએ પલટવાર કરતા કહ્યું કે આતંકવાદને મદદ કરનારા પાકિસ્તાન વિરદ્ધ હંમેશાથી સબૂત રહ્યા છે. પાકિસ્તાનના પીએમ સેનાના હાથની કઠપુતળી બનીને રહી ગયા છે. ઇમરાન ખાનના નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન યુદ્ધના રસ્તે ચાલી રહ્યું છે.