પુલવામા હુમલાને લઇને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નિવેદન આપ્યું છે. પુલવામા હુમલાને લઇને પુરાવા વગર અમારા પર આરોપ લગાવામાં આવી રહ્યો છે. ભારતે અમારા પર ખોટો આરોપ લગાવ્યો છે. આતંકવાદનો સામનો પાકિસ્તાન પણ કરી રહ્યું છે.
પાકિસ્તાન સ્થિરતા ઇચ્છી રહ્યું છે. જો ભારત હુમલા મામલે પુરતા પુરવા આપે તો અમે એકશન લઇશું. ભારત પાસે પુરાવા હોય તો મને આપો અમે કડક પગલા લઇશું.
જ્યારે પણ ભારતની સાથે ચર્ચાની વાત કરીએ છીએ ત્યારે આતંકવાદની વાત કરે છે. અમે આતંકવાદ પર ચર્ચા કરવા તૈયારી છીએ. આતંકવાદથી અમને 100 અરબ ડોલરનું નુકસાન થયું છે. કાશ્મીર અંગે ચર્ચા કરવા અમે તૈયાર છે.
કાશ્મીરના યુવાનો આતંકવાદ સાથે જોડવા પાછળ કોઇ કારણ તો હશે. યુધ્ધથી કોઇપણ પ્રકારનું સોલ્યુશન આવવાનું નથી. પાકિસ્તાન સામે બદલો લેવા ભારતમાં માગ ઉઠી છે. ચૂંટણીના કારણે પાકિસ્તાનનો મુદ્દો ભારતમાં ચાલે છે.
જો કે આતંકવાદને શરણ આપવા અંગે ઇમરાન ખાન કંઇ નબોલ્યા. જો ભારત હુમલો કરશે તો અમે પણ જવાબ આપીશું. પાકિસ્તાન પણ આતંકવાદથી પીડિત છે.