પાકિસ્તાનના રાજકારણ માટે આજનો દિવસ સૌથી મોટો દિવસ છે. ઈમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાનની નેશનલ અસેંબલીમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે.
પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ
ઈમરાન ખાનની થઈ શકે છે ધરપકડ
નેશનલ અસેંબલીમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થશે
પાકિસ્તાનના રાજકારણ માટે આજનો દિવસ સૌથી મોટો દિવસ છે. ઈમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાનની નેશનલ અસેંબલીમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ પીએમએલ-એન અને પીપીપીએ ઈમરાન ખાનની સરકાર વિરુધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને કહ્યું કે, ઈમરાન સંસદમાં બહુમત ખોઈ ચુક્યા છે અને તેમને તાત્કાલિક ધોરણે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
ઈમરાન ખાનની થઈ શકે છે ધરપકડ
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદે દાવો કર્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. શેખ રશીદે કહ્યું કે, મને લાગે છે કે, તે ઈમરાન ખાનને ધરપકડ કરી શકે છે. તેઓ ઈમરાન ખાનને સાંખી નહીં લે. એકસો પંચાવન સભ્યો રાજીનામા આપી શકે છે, જે લોકતંત્ર માટે મોટો ખતરો છે. આ સ્થિતિનું એક માત્ર સમાધાન ચૂંટણી છે. શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાનની એજન્સીઓએ દખલ આપવી જોઈએ અને ચૂંટણીનો રસ્તો સ્પષ્ટ કરવો જોઈએ.
Pakistan's Opposition member has moved a motion for the removal of Asad Qaiser, National Assembly Speaker, ahead of Imran Khan's No-trust vote
12 વાગ્યે શરૂ થશે પાકિસ્તાન નેશનલ અસેંબલીની કાર્યવાહી
પાકિસ્તાનની નેશનલ અસેંબલીમાં ભારતીય સમયઅનુસાર 12 વાગ્યાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર સદનની કાર્યવાહી શરૂ થશે. આ વચ્ચે વિપક્ષી સાંસદો પણ સંસદમાં પહોંચી ચુક્યા છે. પીપીપી નેતા આસિફ અલી જરદારી અને બિલાવલ ભુટ્ટો નેશનલ અસેંબલી પહોંચ્યા છે.
ઈસ્લામાબાદમાં કલમ 144 લાગૂ
પીએમ ઈમરાન ખાન આજે નેશનલ અસેંબલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર થયા છે. આ તમામની વ્ચચે જિલ્લા પ્રશાનસે ઈસ્લામાબાદમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.