પાકિસ્તાનના નનકાના સાહિબમાં પથ્થરમારાનો વિરોધ કરાયો હતો. આ મામલે ભારત સરકારે કડક શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સરકારને આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગ પણ કરી છે. ભારતે કહ્યું કે, નનકાના સાહિબ ગુરૂદ્વારા પર આ હુમલો સિખ યુવતી જગજીત કૌરના અપહરણ અને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવાની ઘટના બાદ કરવામાં આવ્યો છે.
DSGMC અને અકાળી દળ આજે કરશે વિરોધ
પાકિસ્તાની દૂતાવાસની બહાર શાંતિપૂર્ણ વિરોધ કરશે
પંજાબના CM કેપ્ટન અમરિંદરસિંહે પણ કર્યુ ટ્વિટ
વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સરકાર તાત્કાલિક આ મામલે પગલા ભરે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાસે ગુરૂદ્વારામાં ફંસાયેલ શ્રદ્ધાળુઓને કાઢવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું અપીલ કરું છું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને આ મામલે હસ્તક્ષેપ કરી ફંસાયેલ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરે.
સમાચાર આવી હતી કે, નનકાના સાહિબ ગુરૂદ્વારાને હાજરોની સંખ્યામાં આવેલ ઉપદ્રવિઓને ઘેર્યા છે. કેટલાક લોકોએ ગુરૂદ્વારા પર પથ્થરમારો પણ કર્યો છે. ત્યારે, વિદેશ મંત્રાલયે નનકાના સાહિબ પર હુમલાને કડક શબ્દોમાં નિંદા કરી છે. સાથે પાકિસ્તાન સરકાર પાસે માંગ કરી છે કે તેઓ આ મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે.
Ministry of External Affairs: These reprehensible actions followed the forcible abduction and conversion of Jagjit Kaur, the Sikh girl who was kidnapped from her home in the city of Nankana Sahib in August last year. https://t.co/umPpUrncDH
DSGMC અને અકાળી દળ આજે વિરોધ પ્રદર્શન કરાવાના છે. પાકિસ્તાની દૂતાવાસની બહાર શાંતિપૂર્ણ વિરોધ કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહ અને અકાલી દળે નનકાના સાહિબ ગુરૂદ્વારા પર ટોળાના હુમલાની નિંદા કરી છે.
મહત્વનું છે કે, પાકિસ્તાનમાં સ્થાનિક ટોળાએ ગુરૂદ્વારા પર પથ્થરમારો કર્યો હતો અને શિખ વિરોધી સૂત્રોચ્ચાર અને પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા બાદ હિંસાખોરોનું ટોળું ગુરુદ્વારા બહાર બેસી રહ્યું હતું. આ પથ્થરમારાની આગેવાની મોહમ્મદ હસનના પરિવારજનોએ કરી હતી. આ મામલે ભારતના શિખોની અને દુનિયાભરના શિખોની લાગણી દુભાઈ હતી. તેને લઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શિખ યુવતીઓનું અપહરણ અને ધર્મ પરિવર્તનના આરોપને લઈને વિવાદ ઉભો થયો હતો.