પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પાક. સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે અમે ઘણાં શર્મિંદા હતા જ્યારે અમેરિકીઓએ એબટાબાદમાં આવીને ઓસામા બિન લાદેનને મારી નાંખ્યો, તેને શહીદ કરી દીધો.
ઓસામા બિન લાદેને 2001માં અમેરિકા પર 9/11ના રોજ આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 3000 અમેરિકીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમેરિકાની નેવી સીલ્સ દ્વારા 2011માં સૈન્ય ઓપરેશનથી ઓસામા બિન લાદેનને મારવામાં આવ્યો હતો. અમેરિકી ફોજે પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસીને આ ઑપરેશનને અંજામ આપ્યો હતો. ત્યારે આ આતંકવાદીને પાક. પીએમએ સંસદમાં તેને શહીદ ગણાવ્યો.
#WATCH America came inside Pakistan and killed and martyred Osama Bin Laden. After which all the countries cursed us. Pakistan has faced humiliation for many years in war on terror, says Pak PM Imran Khan in National Assembly (Video Source: Pak media) pic.twitter.com/LbfmKDAs6a
જો કે આ પહેલી વખત નથી કે ઈમરાન ખાનને બિન લાદેન પ્રત્યે નરમાશ દેખાડી હોય. આ પહેલાં એક ટીવી ઇન્ટરવ્યૂમાં પણ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને આતંકવાદી કહેવાથી ઈનકાર કરી દીધો હતો. ત્યાં સુધી કે ઈમરાન ખાને અમેરિકા રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગન્ટનનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેઓ બ્રિટન માટે આતંકવાદી હતાં જ્યારે અન્ય લોકો માટે તેઓ સ્વતંત્ર સેનાની હતાં.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં મહિનામાં ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનના એબટાબાદમાં ઓસામા બિન લાદેનની હાજરી વિશે અમેરિકા સુરક્ષા એજન્સીઓને જાણકારી આપી હતી. જો કે તેમણે કહ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાનને અંધારામાં રાખીને ઓસામા બિન લાદેનને મારવા માટેનું ઑપરેશન કરવું જોઈતું ન હતું.
ઈમરાન ખાને અમેરિકી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકી ઑપરેશને પાકિસ્તાનને શર્મસાર કરી દીધું હતું કારણ કે અમેરિકાનું સહયોગી હોવા છતાં આ ઑપરેશનમાં પાકિસ્તાનને ભરોસાલાયક સમજવામાં આવ્યું ન હતું.