પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકતા ફરી એક વાર ભારતમાંથી આયાત પરના પ્રતિબંધો પર વિચારવા માટે મજબૂર કર્યા છે. મોંઘવારીએ માઝા મુકતા પાકિસ્તાનની શાન ઠેકાણે આવી છે.
પાકિસ્તાનની શાન ઠેકાણે આવી
મોંઘવારીમાં પિસાતા પાકને ભારતની યાદ આવી
વેપાર ફરી શરૂ કરવા ભિખ માગશે
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકતી ફરી એક વાર ભારતમાં આયાત પરના પ્રતિબંધો પર વિચારવા માટે મજબૂર કર્યા છે. વાણિજ્ય અને રોકાણ પર પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સલાહકાર અબ્દુલ રજાક દાઉદે કહ્યું કે, ભારત સાથે વેપાર સમયની જરૂરિયાત છે અને તે ભારતથી વધારે પાકિસ્તાન માટે ફાયદાનો સોદો સાબિત થાય છે.
પાકિસ્તાનની શાન ઠેકાણે આવી
પાકિસ્તાની અખબારમાં જણાવ્યા અનુસાર રવિવારે અબ્દુલ રજાકે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી વાણિજ્યક મંત્રાલયનો સવાલ છે, તો આવી સ્થિતીમાં છે કે, ભારત સાથે વેપાર થાય. અને મારો મત છે કે, ભારત સાથે વેપાર કરવો જોઈએ. બંને દેશો વચ્ચે વેપારને ફરીથી શરૂ કરવો જોઈએ.
વેપાર શરૂ કરવાના મૂડમાં પાક.
અબ્દુલ રજાક દાઉદે કહ્યું કે, ભારત સાથે વેપારનું તેઓ સમર્થન કરે છે, કારણ કે, તે પાકિસ્તાન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમણે કહ્યું કે, ભારત સાથે વેપાર તમામ માટે ફાયદાકારક છે. ખાસ કરીને પાકિસ્તાન માટે. અને હું તેને સમર્થન કરુ છું.
મોંઘવારીએ માઝા મુકી
પાકિસ્તાનમાં આકાશે આંબતી મોંઘવારી અને લોકો પર તેના પ્રતિકૂળ પ્રભાવ પર વાત કરતા તેમણે કહ્યું કે, હું આ મુદ્દા પર આપની સાથે સહમત છું, પણ તેલ, કાચો માલ, મશીનરી અને અન્ય સામાન માટે આયાતના કારણે આ મોટી સમસ્યા બની રહેશે.
આ અગાઉ પણ પાકિસ્તાને ભારત સાથે વેપાર ચાલુ કરવાની વાત કહી હતી. પણ વિપક્ષના વિરોધના કારણે ઈમરાન ખાનની સરકાર પાછી પડી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શા માટે બંધ છે વેપાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2019થી વેપાર ખૂબ જ ઓછો થઈ રહ્યો છછે. તે જ વર્ષે જાન્યુઆરીમાં કાશ્મીરમાં પુલવામા હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા હતા. ભારતે તેના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવી અને પાકિસ્તાન સાથે વેપાર પર કસ્ટમ ડ્યૂટીને 200 ટકા વધારી દીધી હતી. તેની અસર એ થઈ કે, ભારત પાકિસ્તાન વચ્ચેનો વેપાર થોડી જ મહિનામાં ઘટીને 10 ટકાએ આવી ગયો હતો.
ભારતે ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી, જેના જવાબમાં પાકિસ્તાને ભારતથી આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ બંને દેશો વચ્ચે વેપાર 90 ટકા સુધી નીચે આવી ગયો હતો.
કોણ ખોટમાં ગયું
પાકિસ્તાનનું કાપડ અને ચીની ઉદ્યોગ આ વેપાર પ્રતિબંધથી પ્રભાવિત થયો છે. તો વળી ભારતની સીમેન્ટ, મીઠું અને અન્ય સામાનથી ડ્રાઈફ્રુટના બજારમા આ પ્રતિબંધથી અસર પડી છે.
પાકિસ્તાન પર આ વેપાર પ્રતિબંધથી વધારે માઠી અસર થઈ છે. ત્યાંનું કાપડ અને દવા ઉદ્યોગ કાચો માલ માટે બારત પર નિર્ભર છે અને પ્રતિબંધોના કારણે તેના પર ખાસ્સી અસર પડી છે.