UNGA (General Assembly of the United Nations) ના 74માં સત્ર શરૂ થયું. આ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંબોધન કર્યું હતું. ઇમરાન ખાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કર્યું હતું.
UNમાં ઇમરાન ખાને કાશ્મીર રાગ આલાપ્યો
ઇસ્લામોફોબિયાએ બુરખાને પણ હથિયાર બનાવી દીધુંઃ ઇમરાન ખાન
જળવાયુ પરિવર્તનથી ખુબ જ પ્રભાવિત છે પાકિસ્તાનઃ ઇમરાન ખાન
પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જળવાયુ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો, ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રને આ મુદ્દા પર નેતૃત્વ કરવા કહ્યું. ઇમરાને ઇસ્લામિક આતંકવાદ પર સવાલો ઉઠાવ્યા હતા. ઇમરાને કાશ્મીર રાગ પણ આલાપ્યો હતો. ઈમરાને કહ્યું કાશ્મીરને મુક્ત કરો... હું ધમકી નથી આપતો, હું ચેતવણી આપું છું અને આ UNની પરીક્ષા છે.
ઇમરાન ખાને ફરી પરમાણુ બોમ્બની આપી ધમકી
ઇમરાન ખાને ફરી એક વખત પરમાણુ બોમ્બની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો બે પાડોશી દેશો વચ્ચે પરમાણુ યુદ્ધ છેડાય છે તો તેની અસર સમગ્ર દુનિયાભરમાં થશે.
યૂએનને ઇમરાનની ધમકી- યાદ કરો શા માટે બન્યા હતા
ઇમરાન ખાને કહ્યું કે મુસ્લિમોની સાથે અન્યાય થઇ રહ્યો છે, જેને લઇને તેઓ હથિયાર ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઇસ્લામના નામ પર યુવકો હથિયાર નથી ઉઠાવી રહ્યા, પરંતુ અન્યાય વિરૂદ્ધ હથિયાર ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ઇમરાને એમ પણ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રને યાદ કરવું જોઇએ કે તેમની રચના શા માટે થયું હતું?
ઇમરાન ખાનનો બફાટ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં પોતાના સંબોધન દરમિયાન ઇમરાન ખાને કાશ્મીર રાગ અલાપ્યો. કલમ 370 હટાવતા હડધૂત થયેલા ઇમરાન ખાને કહ્યું કાશ્મીરમાં કર્ફ્યૂ હટતા જ ખૂનખરાબા થશે.
ઇમરાને ખાને કાશ્મીર રાગ આલાપ્યો અને આરએસએસ પર કર્યા પ્રહાર
ઇમરાન ખાને કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન પાકિસ્તાન વિરૂદ્ધ ભારે નિવેદન બાજી કરી. આ દરમિયાન ઇમરાન ખાને કાશ્મીર રાગ આલાપ્યો. સાથે આરએસએસ પર પ્રહાર કર્યા.
ઇસ્લામોફોબિયાએ બુરખાને પણ હથિયાર બનાવી દીધું
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચથી ઇમરાન ખાને કહ્યું 9/11 બાદથી ઇસ્લામફોબિયા વધી ગયો છે, આ ચેતવણી ભર્યું છે. મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવો કેટલાક દેશોમાં મુદ્દો બની રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સંગઠન મની લોન્ડ્રિંગ વિરૂદ્ધ મજબૂત થાયઃ ઇમરાન ખાન
યૂએનમાં ઇમરાન ખાને કહ્યું કે, વિકસિત દેશ અને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ મની લોન્ડ્રિંગ વિરૂદ્ધ મજબૂત થાય, જેથી ગરીબ દેશોના નાગરીકોપર ખર્ચ થનાર પૈસા ટેક્સ વિકસિત દેશોમાં ન જાય. યૂએનમાં ઇમરાન ખાને કહ્યું કે સૌથી વધુ આતંકવાદી હુમલા તમિલ ટાઇગર્સે કર્યા, તેઓ હિન્દુ હતા, પરંતુ હિન્દુઓને કોઇ દોષ નથી આપતું.
આતંકવાદનો કોઇ ધર્મ સાથે સંબંધ નથી
સંયુક્ત રાષ્ટ્રમાં ઇમરાન ખાને કહ્યું આતંકવાદનો કોઇ ધર્મ સાથે સંબંધ નથી. પરંતુ મુસ્લિમ જ્યારે બીજા દેશોમાં જાય છે તો તેમના પર શંકા કરવામાં આવે છે.
જળવાયુ પરિવર્તનથી ખુબ જ પ્રભાવિત છે પાકિસ્તાનઃ ઇમરાન ખાન
જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત દુનિયાના 10 દેશોમાં પાકિસ્તાન પણ સામેલ છે. દુનિયાના નેતાઓને પણ ગંભીરતા ન દાખવી.