પાકિસ્તાનના કરાચીમાં 22 મેના રોજ વિમાન દુર્ઘટનાની તપાસ અહેવાલ બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી હતી. અહેવાલ રજૂ કરતી વખતે, ઉડ્ડયનમંત્રી ગુલામ સરવર ખાને કહ્યું - વિમાનમાં કોઈ તકનીકી ખામી નહોતી. આ દુર્ઘટના માટે પાઇલટ, કેબિન ક્રૂ અને એટીસી જવાબદાર છે.
આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોયટર્સનો પાકિસ્તાન વિમાન ક્રેશ વિશે દાવો
બંને પાયલોટ કોરોના વિશે ચર્ચા કરતા હતા માટે વિમાન ક્રેશ થયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રેશનો પ્રથમ પાઇલટ કોરોનાવાયરસની ચર્ચા કરી રહ્યો હતો. અમારી પાસે તેનું રેકોર્ડિંગ પણ છે. કરાચી વિમાન દુર્ઘટનામાં 8 કેબીન ક્રૂ સહિત 97 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 2 લોકો બચી ગયા હતા. સરવરે પાકિસ્તાન એરલાઇન્સને લઇને આશ્ચર્યજનક ખુલાસો કરતા કહ્યું હતું કે, અમારી સરકારી એરલાઇન્સમાં 40% પાઇલટ્સ પાસે નકલી લાઇસન્સ છે.
પાયલોટ ઓવરકોન્ફિડન્સમાં હતા- રિપોર્ટ
સરવરે કહ્યું, '' પાઇલટ્સ વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં હતા. તેણે વિમાન તરફ ધ્યાન આપ્યું ન હતું. એટીસીએ તેમને વિમાનની ઊંચાઈ વધારવા જણાવ્યું હતું. તેના જવાબમાં એક પાઇલટે કહ્યું કે તે બધું સંભાળી લેશે. સમગ્ર ફ્લાઇટ દરમિયાન, બંને પાઇલટ્સ પરિવારને કોરોનાવાયરસથી બચાવવાની વાત કરતા રહ્યા. "
વિમાન રનવેને ત્રણ વખત અડક્યું હતું
તપાસનો પ્રાથમિક અહેવાલ રજૂ કરતાં સરવરે વધુમાં જણાવ્યું હતું કે, "જે અકસ્માત માટે જવાબદાર છે તેને બક્ષવામાં આવશે નહીં. પાઇલટ્સે લેન્ડિંગ ગિયર ખોલ્યા વિના ત્રણ વાર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આનાથી વિમાનનું એંજિન બગડ્યું. પાછળથી વિમાન ક્રેશ થયું હતું. અમારી પાસે પાઇલટ્સ અને એટીસી વચ્ચે વાતચીતનો સંપૂર્ણ રેકોર્ડ છે. મેં તે જાતે સાંભળ્યું છે. "