ભારત સિવાય યૂરોપ, કેનેડા અને અમેરિકી શિખોને પણ બાબે-દે-બેર ગુરૂદ્વારામાં જવાની પરવાનગી આપી દેવાઇ છે. પાકિસ્તાને 500 વર્ષ જૂના એક ગુરૂદ્વારને ભારતીય શિખ શ્રદ્ધાળુઓને માટે ખોલી દીધું છે. પંજાબ પ્રાંતનાં સિયાલકોટમાં સ્થિતમાં આ પ્રાચીન ગુરૂદ્વારામાં હવે શિખ શ્રદ્ધાળુ અરદાસ કરી શકશે. આ પહેલાં ભારતીય શિખ બાબે-દે-બેર ગુરૂદ્વારામાં દર્શન ન હોતા કરી શકતા.
પાકિસ્તાને (pakistan) 500 વર્ષ જૂના એક ગુરૂદ્વાર (gurudwara) ને ભારતીય શિખ શ્રદ્ધાળુઓને માટે ખોલી દીધું છે. પંજાબ પ્રાંતનાં સિયાલકોટમાં સ્થિતમાં આ પ્રાચીન ગુરૂદ્વારામાં હવે શિખ શ્રદ્ધાળુ અરદાસ કરી શકશે. આ પહેલાં ભારતીય શિખ બાબે-દે-બેર ગુરૂદ્વારામાં દર્શન ન હોતા કરી શકતા.
ભારત સિવાય યૂરોપ, કેનેડા અને અમેરિકી શિખોને પણ બાબે-દે-બેર ગુરૂદ્વારામાં જવાની પરવાનગી આપવામાં આવી છે. પંજાબ પ્રાંતનાં ગવર્નર મોહમ્મદ સરવરે રાજ્ય સરકારનાં ઔકફ વિભાગને ભારતથી આવનાર શિખ શ્રદ્ધાળુઓને દર્શન કરવાની પરવાગીનાં નિર્દેશ આપ્યા હતાં.
દર વર્ષે શિખ ભક્તો કરે છે દર્શનઃ
તમને જણાવી દઇએ કે લાહોરથી 140 કિમી દૂર સિયાલકોટ શહેરમાં સ્થિત આ ગુરૂદ્રારામાં ગુરુ નાનકની જન્મજયંતિ અને પુણ્યતિથિ પર દેશ-વિદેશથી ભારે સંખ્યામાં શિખ શ્રદ્ધાળુઓ પહોંચે છે. મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં ઘણા ગુરુદ્વારો છે, જ્યાં ભારત સહિતનાં વિશ્વભરનાં શીખ ભક્તો દર વર્ષે મુલાકાત લે છે.
નાથા સિંઘે બાંધકામનું કરાયું નિર્માણઃ
આ ગુરુદ્વારાને શિખ ધર્મનાં સંસ્થાપક, ગુરુ નાનક દેવ સાહિબની યાદમાં તેમનાં અનુયાયી સરદાર નાથા સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે 16મી સદીમાં કશ્મીર પ્રવાસથી સિયાલકોટ પરત ફરેલ ગુરૂ નાનક દેવે આ જગ્યાએ બોરડીનાં વૃક્ષની નીચે આરામ લીધો હતો. અહીં તેઓએ સિયાલકોટનાં પ્રસિદ્ધ સંત હેમ્ઝા ગૌસને મળ્યાં હતાં. આજે પણ અહીં તે બોરડીનું વૃક્ષ ઉપલબ્ધ છે.