ભારત સાથે સંબંધ સુધારવાની વાતો કરતું પાકિસ્તાનની નાપાક હરકતો હજુ પણ યથાવત છે. પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે ભારતે પીએમ મોદીની સાઉદી અરબની યાત્રા માટે પાકિસ્તાનના એરસ્પેસના ઉપયોગ કરવાની અનુમતિ માગી હતી. જેને નામંજૂર કરી દેવાઇ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતના અનુરોધને નામંજૂર કરી દીધું છે જેમાં ભારતીય પીએમ મોદીને સાઉદી અરબના પ્રવાસ માટે તેમના વિમાનને પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવાની માગ કરી હતી.
28 ઓક્ટોબરે સાઉદી અરબ જશે વડાપ્રધાન મોદી
રાષ્ટ્રપતિ માટે પણ પાકિસ્તાને એરસ્પેસ ખોલવાની વાત નકારી કાઢી હતી
ભારત દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન દ્વારા 'કાળો દિવસ' મનવવામાં આવ્યો
પીએમ મોદીના વિમાન માટે પાકિસ્તાને ન આપી મંજુરી
ભારત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સાઉદી અરબ પ્રવાસ માટે પાકિસ્તાનને તેનો એરપેસનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવમાં આવ્યો હતો જેને પાકિસ્તાને નામંજૂર કરી દીધો છે જેની જાણકારી પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ આપી હતી. પાકિસ્તાન દ્વારા કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલા માનવાધિકારનું ઉલ્લંઘન અને 'કાળો દિવસ'ના સંદર્ભમાં લેવામાં આવ્યું છે.
ક્યારે સાઉદી અરબ જશે પીએમ મોદી
રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા પીએમ મોદીના વિમાન માટે 28 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના એરસ્પેસની અનુમતિ માંગવામાં આવી હતી. વડાપ્રધાન મોદી 29 ઓક્ટોબરના રોજ આયોજિત એક સંમેલનમાં ભાગ લેવા માટે સાઉદી અરબ જવાના છે. આપણે જણાવી દઈએ કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પણ 28 ઓક્ટોબરના રોજ સાઉદી અરબ જશે
પાકિસ્તાનમાં મનાવવામાં આવ્યો 'કાળો દિવસ'
આપને જણાવી દઈએ કે જ્યારે ભારતમાં જ્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આવા અવસર પર 27 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનમાં 'કાળો દિવસ' મનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનનું કહેવું છે કે 27 ઓક્ટોબરના દિવસે જ ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરને પોતાના કબ્જામાં લીધું હતું જેની યાદમાં પાકિસ્તાન 'કાળો દિવસ' મનાવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે એરસ્પેસ ખોલવાથી કર્યો હતો ઇનકાર
આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા આ ક હરકત કરવામાં આવેલી છે. સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ ભારત તરફથી મંજુરી માંગવામાં આવી હતી અને પાકિસ્તાન દ્વારા નકારી કાઢવામાં આવી હતી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું હતું કે તે આવી પરિસ્થિતિઓ વચ્ચે ભારતને એરસ્પેસની મંજુરી આપી શકે નહિ. એ વખતે રાષ્ટ્રપતિ કોવિંદ આઈસલેન્ડ,સ્વિટઝરલેન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસ પર ગયા હતા.
પીએમ મોદીએ રદ્દ કર્યો તુર્કી પ્રવાસ
પીએમ મોદી સાઉદી અરબના રિયાધ શહેરમાં આયોજિત ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવમાં ભાગ લેવા જવાનાં છે. આ સમગ્ર કાર્યક્રમ 29 થી 31 ઓક્ટોબર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી તુર્કી પણ જવાના હતા પરંતુ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગોન દ્વારા જમ્મુ કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ઉઠાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ તુર્કીનો પ્રવાસ રદ્દ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તુર્કીએ ફાઈનેન્શીયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પણ ખુલીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો