ભારતીય વાયુ સેનાના પ્રમુખ બીરેન્દ્ર સિંહ ધનોઆએ કહ્યું છે કે પાકિસ્તાન આપણા હવાઇ ક્ષેત્રમાં ક્યારેય આવ્યું નથી. બાલાકોટ એર સ્ટ્રાઇકથી આપણો ઉદ્દેશ્ય માત્ર આતંકી કેમ્પ પર હુમલો કરવાનો હતો અને તેમનો ઉદ્દેશ્ય આપણી સેના કેમ્પને નિશાન બનાવાનો હતો.
આપણા સૈન્યએ પોતાનો હેતુ પ્રાપ્ત કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાએ આપણા વિસ્તારમાં નિયંત્રણ રેખાને પાર કર્યું નહોતું. એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યું, બાલાકોટ હુમલાને લઇને હું જણાવવા ઇચ્છું છું કે પાકિસ્તાન ક્યારેય આપણા હવાઇ ક્ષેત્રમાં આવ્યું નથી.
અમારો હેતુ માત્ર આતંકી કેમ્પને નિશાન બનાવાનો હતો, જ્યારે તેમનો (પાકિસ્તાન)નું લક્ષ્ય આપણા આર્મી કેમ્પ હતા. આપણું સૈન્ય પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું, પરંતુ પાકિસ્તાન ક્યારેય સરહદ પાર કરી શક્યું નથી.
#WATCH BS Dhanoa, Indian Air Chief Marshal says,"On Balakot let me tell you, Pakistan didn't come into our airspace. Our objective was to strike terror camps & their's was to target our army bases. We achieved our military objective. None of them crossed the Line of Control." pic.twitter.com/l5pt3xFcqa
પાકિસ્તાન એર સ્પેસ બંધ થવા પર ભારતીય વાયુસેનાના પ્રમુખે જણાવ્યું કે પાકિસ્તાને પોતે હવાઇ ક્ષેત્ર (એરસ્પેસ)ને બંધ કર્યું છે, જે તેમની પોતાની સમસ્યા છે. આપણી અર્થવ્યવસ્થા ઘણી મોટી છે અને એર ટ્રાફિક તેનો ઘણો મહત્વપૂર્ણ ભાગ છે. આપણે ક્યારેય એર ટ્રાફિકને રોક્યો નથી.
કારગીલ યુધ્ધના 20 વર્ષ પૂર થવા પર આયોજીત કાર્યક્રમ દરમિયાન પ્રમુખ બીએસ ધનોઆએ બાલાકોટ સ્ટ્રાઇકને લઇને કહ્યું કે આ હુમલા દરમિયાન આપણા સૈન્યએ લક્ષ્ય પ્રાપ્ત કર્યું પરંતુ પાકિસ્તાન એવું કરી શક્યું નહોતું. વાયુ સેનાના પ્રમુખે કહ્યું કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન આપણા હવાઇ ક્ષેત્રમાં આવ્યું નથી.