પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર થાય છે, તેની વધુ એક તસવીર સામે આવી છે. પાકિસ્તાનના સિંઘ પ્રાન્તના ઘોતકીમાં કટ્ટરપંથીઓએ એક મંદિરમાં મોટી તોડફોડ કરી. આ વિવાદ સ્થાનીય હાઇસ્કૂલના એક હિન્દૂ શિક્ષક પર ઇશ નિંદાના ખોટા આરોપોથી શરૂ થયો હતો. હિન્દૂ શિક્ષકને માર મારવામાં આવ્યો હતો.
પાકના સિંઘ પ્રાન્તના ઘોતકીમાં કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ કરી
પાકમાં હિન્દૂ સમુદાયના લોકો ડરમાં જીવી રહ્યા છે
પાકિસ્તાનમાં વધી રહ્યા છે લઘુમતીઓ પર હુમલા
શિક્ષક પર આરોપ એક વિદ્યાર્થીએ લગાવ્યો હતો. તેની જાણ જ્યારે કટ્ટરપંથીઓને પડી તો એમણે સ્કૂલ અને મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી. આશ્ચર્યની વાત છે કે, આ દરમિયાન ઘટના સ્થળ પર હાજર પોલીસ તમાશો જોઇ રહી હતી.
આ ઘટના બાદ ઘોટકીમાં સન્નાટો ફલાઇ ગયો છે. હિન્દૂ સમુદાયના લોકો ડરેલા છે. આ એ પાકિસ્તાનમાં થયું છે જ્યાં વડાપ્રધાન આતંકવાદિઓ અને પથ્થરમારો કરનાર પર એક્શનનો મુદ્દો યૂએનમાં ઉઠાવવાની ધમકી આપે છે. પાકિસ્તાનમાં સતત લઘુમતીઓ પર હુમલાના સમાચાર આવી રહ્યા છે.
હાલમાં જ એક શીખ છોકરીનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન અને નિકાહનો કેસ સામે આવી ચૂક્યો છે. જ્યારે ઇમરાનની પાર્ટીના જ એક પૂર્વ હિન્દૂ ધારાસભ્ય બળદેવ કુમાર શરણ લેવા ભારત આવી ચૂક્યા છે.