પાકિસ્તાનના માહિતી પ્રધાન મેરિયમ ઔરંગઝેબ જ્યારે લંડનની એક કોફી શોપમાં ગયા ત્યારે ત્યાં ઇમરાન ખાનના સમર્થકોએ 'ચોર... ચોર જેવા નારા લગાવ્યા
પાકિસ્તાનના માહિતી પ્રધાન મેરિયમ ઔરંગઝેબનો વીડીયો વાયરલ
લંડનના એક કોફી શોપમાં લોકોએ ચોર ચોરના નારા લગાવ્યા
પાકિસ્તાની પ્રધાન સૂત્રોચ્ચારનો જવાબ આપતા નથી
પાકિસ્તાનની ઘરેલુ રાજનીતિએ હવે વિદેશમાં પણ દેશને શરમમાં મૂકવાનું શરૂ કરી દીધું છે. બન્યું એવું કે પાકિસ્તાનના માહિતી પ્રધાન મેરિયમ ઔરંગઝેબ જ્યારે લંડનની એક કોફી શોપમાં ગયા ત્યારે ત્યાં ઇમરાન ખાનના સમર્થકોએ 'ચોરની... ચોરની જેવા નારા લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આવામાં કેટલાક લોકો પાકિસ્તાનમાં પૂરને કારણે ઉભી થયેલી ખરાબ સ્થિતિ વચ્ચે મંત્રીની વિદેશ યાત્રાને લઇને ગુસ્સો વ્યક્ત કરતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે.
ઘટનાનો વિડીયો વાયરલ
વિદેશી પાકિસ્તાનીઓ પણ લંડનમાં કોફી શોપની બહાર મરિયમનો પીછો કરતા જોવા મળે છે. આ ઘટનાની વિડિયો ક્લીપમાં જોવા મળે છે કે પાકિસ્તાની પ્રધાન સૂત્રોચ્ચારનો જવાબ આપતા નથી અને પોતે મોબાઇલ ચલાવતા રહે છે. પાકિસ્તાની એક અખબારે આ સમગ્ર ઘટના વિશે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, "મંત્રી મરિયમે ખૂબ જ શાંતિ અને સંયમથી પરિસ્થિતિને સંભાળી હતી."
Marriyum Aurangzeb kept her cool - she should file a case with the London police for harassment pic.twitter.com/cFmk7XKhGQ
હિજાબ ન પહેરવા પર લોકોએ પૂછ્યા સવાલ
મીડિયાના જણાવ્યા અનુસાર, પૂર્વ પીએમ ઇમરાન ખાનના સમર્થકોએ લંડનમાં મંત્રી મેરિયમ ઔરંગઝેબને હેરાન કર્યા હતા અને તેમની સાથે ઘક્કામુકી કરી હતી. આ દરમિયાન એક મહિલાનું કહેવું છે કે મરિયમે ટીવી પર મોટા મોટા દાવા કર્યા પરંતુ પોતે હિજાબ નથી પહેરતી. પાકિસ્તાની પત્રકારે આ કેસને લઇને વીડિયો શેર કર્યો છે. તેના જવાબમાં મેરિયમ ઔરંગઝેબે કહ્યું કે પૂર્વ પીએમ અને વિપક્ષી પાર્ટી પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની નફરત અને વિભાજનની રાજનીતિની અસર અમારા ભાઈ-બહેનો પર પડી છે.
પાકિસ્તાન મંત્રીઓ એ તેને સિંહણ ગણાવી
મીડિયાના રિપોર્ટ અનુસાર મંત્રી મરિયમ ઔરંગઝેબે ભીડની સામે ઉભા રહીને ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનીઓના સવાલોના જવાબ આપ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનના નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે ઔરંગઝેબના સંયમના વખાણ કર્યા હતા અને તેમને સલામી આપી હતી. તેને આ રીતે હેરાન કરવામાં આવ્યા બાદ પણ મેરીને જુઠ્ઠાણાનો સામનો કરવો પડ્યો હતો. એ જ રીતે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુકે ગયા પછી પણ કેટલાક લોકોનું વલણ બદલાયું નથી, વિદેશી પાકિસ્તાનીઓ ઊતરતી કક્ષાના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ અસહિષ્ણુતાની ચરમસીમા છે. પાકિસ્તાનના આયોજન પ્રધાન અહેસાન ઇકબાલે આ ઘટનાને પીટીઆઈના કાર્યકરો દ્વારા નિંદનીય અને શરમજનક કૃત્ય ગણાવ્યું હતું અને હિંમત અને સંયમ દર્શાવવા બદલ મરિયમને "સિંહણ" ગણાવી હતી.