વાહ્યાર્થ નિવેદનોથી ભારત વિરૂદ્ધ પોતાની કુંઠા દર્શાવનારા પાકિસ્તાની મંત્રી ફવાદ ચૌધરી એક વાર ફરીથી વિવાદોમાં આવ્યાં છે. ભારતનાં ચંદ્રયાન-2 મિશન વખતે લૅન્ડર જ્યારે ચંદ્રની સપાટીથી ફક્ત 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. જે મામલે સતત વિવાદોમાંથી રહેનાર ફવાદ ફરી વાર હવે ખુદ પોતાની બેઇજ્જતી કરવા સામેથી ચાલ્યાં આવ્યાં.
પાકિસ્તાન (Pakistan) નાં વિજ્ઞાન અને ટેક્નિકી મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhry) એ મંગળવારનાં રોજ બપોરનાં ટ્વિટ કરતા લખ્યું કે, 'કમેંટેટર્સે મને જણાવ્યું કે, ભારતે શ્રીલંકાનાં ખેલાડીઓને ધમકી આપી છે કે જો તેઓએ પાકિસ્તાન મુલાકાતથી ઇન્કાર નથી કર્યો તો તેઓને IPLથી બહાર કરી દેવામાં આવશે. આ વાસ્તવમાં સસ્તી રણનીતિ છે. રમતથી લઇને અંતરિક્ષ સુધી આ એક એવી અંધરાષ્ટ્રીયતા છે કે જેનો આપણે વિરોધ કરવો જોઇએ, નિંદા કરવી જોઇએ. ભારતીય રમત પ્રાધિકરણ તરફથી એક સસ્તું પગલું.'
Informed sports commentators told me that India threatened SL players that they ll be ousted from IPL if they don’t refuse Pak visit, this is really cheap tactic, jingoism from sports to space is something we must condemn, really cheap on the part of Indian sports authorities
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની ક્રિકેટ ટીમના મોટાભાગના સીનિયર ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવાની ના પાડી દીધી છે. શ્રીલંકાને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાન પ્રવાસ પર સીમિત ઓવરોની સીરિઝ રમવાની છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર વન-ડે ટીમનાં કેપ્ટન દિમુથ કરુણારત્ને, ટી-20 કેપ્ટન લસિથ મલિંગા અને પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂઝ જેવા સીનિયર ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવાની ના પાડી દીધી છે.
Pak Min F Chaudhry tweets, "Informed sports commentators told me India threatened SL players they'll be ousted from IPL if they don’t refuse Pak visit,it's really cheap tactic,jingoism from sports to space is something we must condemn,cheap on part of Indian sports authorities." pic.twitter.com/EHLuSlSoQv
શ્રીલંકાના ખેલમંત્રી હેરિન ફર્નાડોએ કહ્યું કે મોટાભાગના ખેલાડીઓના પરિવારોએ સુરક્ષાને લઇને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. એમને કહ્યું કે ટીમના અધિકારીઓ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે અને પાકિસ્તાન પ્રવાસ માટે એમને સમજાવશે કે એમને ત્યાં પૂરી સુરક્ષા આપવામાં આવશે. જેને લઇને 9 સપ્ટેમ્બરનાં રોજ મહત્વની બેઠક પણ કરવામાં આવી.
આ વચ્ચે પાકિસ્તાને શ્રીલંકાની સાથે થનારી ઘરેલૂ સીરિઝ માટે તારીખોની પણ જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન અને શ્રીલંકાને કરાંચીનાં નેશનલ સ્ટેડિયમમાં 27 સપ્ટેમ્બર, 29 સપ્ટેમ્બર અને 2જી ઓક્ટોબરે ત્રણ મેચોની વનડે સીરિઝ રમવાની છે.
ત્યાર બાદ બંને ટીમો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 5, 7 અને 9 ઓક્ટોમ્બરે 6 મેચોની ટી-20 સીરિઝ રમશે. ત્યારબાદ શ્રીલંકા પણ ડિસેમ્બરમાં બે મેચોની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પાકિસ્તાની મેજબાની કરશે.