પાકિસ્તાનની કુખ્યાત મરીન સિક્યુરિટી એજન્સીએ ફરી એક વખત પોત પ્રકાશ્યું છે,ઓ ગુજરાતની દરિયાઈ સીમામાંથી વધુ એક વાર ભારતીય માછીમારોનું તેમની બોટ સહિત અપહરણ કરવાની ઘટના સામે આવી છે, આ વખતે કુલ 3 બોટ અને 26 માછીમારોનું અપહરણ કરાયું છે.
પાકિસ્તાન દ્વારા 3 ભારતીય બોટોનુ અપહરણ
3 બોટ સાથે 26 માછીમારોના અપહરણ કરાયા
1 માંગરોળ, 2 બોટ ઓખાની હોવાનું સામે આવ્યું
ભારતીય જળસીમામાં ઘૂસીને પાકિસ્તાન તેની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોની બોટનું અપહરણ કરતું રહ્યું હોવાની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે, આ વખતે પણ પાકિસ્તાન એ તેની જૂની કુટેવ અને ચાલબાજી પ્રમાણે ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલા 26 માછીમારો નું તેમની ત્રણ બોટની સાથે અપહરણ કરી લીધું છે, મળતી માહિતી પ્રમાણે આ બોટમાંથી એક બોટ માંગરોળની અને 2 ઓખાની હતી.
પાકિસ્તાન માછીમારોનું કરે છે અપહરણ
ગુજરાત નો દરિયાકાંઠો ઘણો વિશાળ છે અને અહીનો મત્સ્યોધ્યોગ પણ ઘણો વિકસિત છે, પાકિસ્તાન આ વાત જાણે છે કે આ મત્સ્યોધ્યોગને ને લઈને સરકારને પણ સારી આવક મળે છે અને ગુજરાત ના વિકાસમાં આ ઉદ્યોગનો મોટો ફાળો છે, પરંતુ પાકિસ્તાનથી ભારતની આ સમૃદ્ધિ સહન થતી નથી માટે તે માછીમારોને પકડીને તેમનું અપહરણ કરીને આડકતરી રીતે ગુજરાત ના આ મહત્વપૂર્ણ ઉદ્યોગની કમ્મર તોડી નાખવા માંગે છે પરંતુ તેના ઈરાદાઓમાં તે હજુ સફળ થયું નથી.
ઉલ્લેખનીય છે કે કચ્છના અખાત પાસે, જખૌમાં અને તેને અડીને આવેલી દરિયાઈ પટ્ટીમાં માછલીઓની વિપુલતા સિવાય પ્રાકૃતિક ગેસ અને અન્ય ખનીજોના વિપુલ ભંડારો હોવાની શક્યતા છે, આ વિસ્તારને પાકિસ્તાન પોતાના વિસ્તાર તરીકે ગણાવે છે અને તેને વિવાદિત ગણાવીને ભારતીય માછીમારો ને ત્યાં પ્રવેશતા રોકવા માંગે છે. આ સિવાય ભારતીય માછીમારોને અપહરણ કરીને તેમની બોટોને પાકિસ્તાન કબજે કર્યા પછી છોડતું નથી.
ભારતીય બોટને પાકિસ્તાન પછી છોડતું નથી
આ બોટ ખાસ્સી મોંઘી આવે છે અને આ માછીમારો તેની જેલોમાં નર્કની યાતના જેવુ જીવન જીવે છે, ભારત પાછા ફરેલા ઘણા માછીમારો એ આ હકીકત તેમના બયાનોમાં વર્ણવી છે, જો કે માછીમારોને ગોંધી રાખીને તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે તેની વિગતો પાકિસ્તાન પ્રસારિત થવા દેતું નથી. આ બોટનો ઉપયોગ પછી ભારતની અંદર ઘૂસણખોરી કરીને આતંકી હુમલા અથવા સ્મગલિંગ માટે વપરાય છે, અજમલ કસાબ દ્વારા 26/11 હુમલા વખતે આવી જ બોટ વપરાઇ હતી.