પોતાના વિવાદીત નિવેદનોને લઇને ચર્ચામાં રહેનારા કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે ફરીથી પાકિસ્તાનમાં ભારતના આંતરિક મુદ્દાઓ પર ચર્ચા કરીને મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. મણિશંકર અય્યરે લાહોરમાં એક પેનલ દરમિયાન દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે NCR અને NPRને લઇને મતભેદ છે.
મણિશંકર અય્યરે પાકિસ્તાનમાં પણ NRC-NPRનો ઉલ્લેખ કર્યો
કહ્યું- પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે છે મતભેદ
મણિશંકર અય્યરે કહ્યું કે આ જોડી દેશમાં હિંદુત્વનો ચેહરો છે. મણિશંકર અય્યર સોમવારે પાકિસ્તાનના લાહોરમાં એક કાર્યક્રમમાં હતા, જેમાં પત્રકાર નઝમ સેઠી પણ હાજર હતા.
મણિશંકર અય્યરે કહ્યું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NPR)ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યારેય નથી માન્યું કે આ NRCના ઉત્તરાધિકારી છે. સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે NRP-NRCનું રૂપ હશે. વાસ્તવિક રીતે NRP જ NRC છે.
In Lahore, Aiyar makes claim of rift between Modi, Shah over NRC
આ પહેલા મંગળવારે દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચેલા મણિશંકર અય્યરે એક વિવાદીત નિવેદન આપ્યું હતું. શાહીન બાગમાં મણિશંકર અય્યરે કહ્યું હતું કે જે હું તમારા માટે કરવા માંગુ છુ તે હું કરવા તૈયાર છું. હું વચન આપું છું. હવે જોઈએ કે કોનો હાથ મજબૂત છે, આપણો કે તે કાતિલ નો? મણિશંકર અય્યરનો ઇશારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તરફ હતો.