નિઝામ બાદ તેમના ઉત્તરાધિકારીઓ અને ભારત આ સંપત્તિનું દાવેદાર
લંડન કોર્ટે ઉતરાધિકારીઓને હક હોવાનું જણાવ્યું
હૈદરાબાદના 7માં નિઝામની સંપત્તિને લઇને 70 વર્ષથી ચાલી રહેલા કેસમાં લંડન કોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં કોર્ટે નિઝામની જમા થયેલી રકમ પર નિઝામના ઉત્તરાધિકારીઓનો હક્ક હોવાનું જણાવ્યું છે. આ કેસને લઇને ઐતહાસિક ચૂકાદો ભારતની તરફેણમાં આવ્યો છે.
જાણો લંડનની બેન્કમાં કેટલી રકમ છે જમા
હૈદરાબાદના 7માં નિઝામ દ્વારા લંડનની નેટવેસ્ટ બેન્કમાં અંદાજે 3 અબજ 8 કરોડ 40 રૂપિયા જમા હોવાની સૂત્રોને માહિતી મળી છે. આ રકમ નિઝામના વંશજ પ્રિન્સ મુકર્મ જહા અને તેના ભાઇને મળશે.
હૈદરાબાદના નિઝામની સંપત્તિ પર પાકિસ્તાને કર્યો હતો દાવો
પાકિસ્તાન દ્વારા હૈદરાબાદના 7માં નિઝામની સંપત્તિ પર દાવો કરવામાં આવ્યો હતો. જો કે લંડન કોર્ટે પાકિસ્તાનને ઝટકો આપતો નિર્ણય કર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે હૈદરાબાદના 7માં નિઝામ ઉસ્માન અલી ખાન આ સંપત્તિના માલિક હતા અને હવે નિઝામ બાદ તેમના ઉત્તરાધિકારીઓ અને ભારત આ સંપત્તિનું દાવેદાર છે.
નિઝામે 1948માં પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને મોકલી હતી આ રકમ
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના તત્કાલિન નિઝામે 1948માં બ્રિટનમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને આ રકમ મોકલી હતી. જે છેલ્લા 70 વર્ષથી લંડનની નેટવેસ્ટ બેન્કમાં જમા હતી.