પાકિસ્તાનમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાએ ઈસ્લામાબાદમાં કુલભૂષણની સાથે મુલાકાત કરી. આ મુલાકાત ક્યાં થઈ તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ધરપકડના 3 વર્ષ બાદ પહેલીવાર સોમવારે કોન્સુલર એક્સેસ મળ્યું. પાકિસ્તાનમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયાએ ઈસ્લામાબાદમાં કુલભૂષણ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ક્યાં થઈ તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નછી. પહેલાં કહેવાયું હતું કે આ મુલાકાત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં થશે.
સોમવારે બપોરે 12.30 ના સમયે ગૌરવ અહલુવાલિયા અને કુલભૂષણ જાધવની વચ્ચે મુલાકાત શરૂ થઈ હતી. સુરક્ષાના કારણે મીડિયાને આ વાતથી દૂર રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનની તરફથી કુલભૂષણ જાધવને 2 કલાકનો કોન્સુલર એક્સેસ આપવામાં આવ્યા છે.
આ સમયે ગૌરવ અહલુવાલિયા, કૂલભૂષણ જાધવને જેલમાં તેમની સાથેના વ્યવહારને વિશે પૂછશે, સાથે જ તેમને કઈ તકલીફ છે તેની જાણકારી લેશે, તેમની માંગ વિશે જાણશે અને પછી રણનીતિની ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને કુલભૂષણ જાધવ પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. 2016માં તેઓને બલૂચિસ્તાનના વિસ્તારથી ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. ત્યારથી કોન્સુલેર એક્સેસ આપવામાં આવ્યા નથી.
હવે જ્યારે પાકિસ્તાનને આ કેસમાં આંતરરાષ્ટ્રિય કોર્ટમાં હાજર રહેવું પડ્યું ત્યારે તે એક્સેસ આપવા માટે મજબૂર બન્યું. આંતરરાષ્ટ્રિય કોર્ટના નિર્ણય બાદ કુલભૂષણ જાધવને મળેલી ફાંસીની સજા રોકી દેવામાં આવી.
ઉલ્લેખનીય છે કે 2017માં કૂલભૂષણ જાધવની માતા અને પત્ની ઈસ્લામાબાદમાં તેમને મળ્યા હતા. ત્યારબાદ તેઓ તેમને મળ્યા પણ નથી. અનેક વાર એવા ન્યૂઝ આવ્યા કે કુલભૂષણ જાધવની સાથે પાકિસ્તાની કસ્ટડીમાં ર્દુવ્યવહાર કરવામાં આવ્યો. એટલું જ નહીં તેમની માતા અને પત્ની તેમને મળવા આવ્યા ત્યારે તેમની સાથે પણ ર્દુવ્યવહાર કરવામાં આવ્યો હતો.