પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. દરિયા કિનારેથી માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોરબંદર અને વેરાવળના 36 માછીમારોને પાક.સુરક્ષા એજન્સી ઉઠાવી ગઈ છે.
પાકિસ્તાન મરીનની નાપાક હરકત
7 ભારતીય બોટ અને 36 માછીમારોનું અપહરણ
પોરબંદરની 6 અને વેરાવળની 1 બોટ ઉઠાવી ગયા
પાકિસ્તાન દ્વારા આઠ બોટ સાથે સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળના 36 માછીમારોનું અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
કોરોના મહામારી વચ્ચે માછીમારો માછીમારી કરી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે આજે પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી દ્વારા સૌરાષ્ટ્રની 7 બોટ સાથે 36 માછીમારો અપહરણ કરીને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવતા પરિવારજનો ચિંતામાં સરી પડ્યા છે.
પાકિસ્તાન મરીન સિકયુરિટી એ જે બોટના અપહરણ કર્યા છે તેમાં 6 બોટ પોરબંદરની અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે જેની સામે માછીમારો અને પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે.