પાકિસ્તાનમાં ગુરુવારે કરાચી રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાનની પાસે થયો.
કરાચી રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં બ્લાસ્ટ
બ્લાસ્ટ બાદ ત્રણ બોગીઓમાં લાગી આગ
ઘટનામાં 73નાં મોત, 30થી વઘુ ઘાયલ
રેલવે અધિકારીઓ પ્રમાણે જમવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા ગેસ કનસ્તરમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ ત્રણ બોગીઓમાં આગ લાગી ગઇ. આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 73 થઇ ગઇ છે જ્યારે બાકીના 30થી વધારે લોકો ઘાયલ થયા છે.
ઘાયલ થયેલા લોકોને મુલ્તાનના બીવીએચ બહાવલપુર અને પાકિસ્તાન ઇટાલિયન મૉડર્ન બર્ન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. રહીમ યાર ખાનના ઉપાયુક્ત જમીલ અહમદની દેખરેખમાં રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે.
ચાલતી ટ્રેનમાંથી લોકોએ લગાવી છલાંગ
અત્યાર સુધી મળતી જાણકારી અનુસાર ગુરુવાર સવારે આ બ્લાસ્ટમાં પહેલા ઇકૉનમી ક્લાસની 2 બોગીઓમાં આગ લાગી તો બીજી બાજુ એક બિઝનેસ ક્લાસમાં આગ લાગી ગઇ. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર રેક્સ્યૂ ટીમ પહોંચી છે. બોગીમાંથી 3 લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદી પણ ગયા.
#UPDATE Pakistan: Death toll rises to 46, in incident where fire broke out in Karachi-Rawalpindi Tezgam express train in Liaqatpur near Rahim Yar Khan, earlier today. https://t.co/PwFdCksqiV
સિલિન્ડર વિસ્ફોટમાં લાગી આગ
પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશિદે કહ્યું કે આગ એક સિલિન્ડર વિસ્ફોટના કારણે લાગી, જ્યારે સવારે યાત્રી પોતાના નાશ્તાની તૈયારી કરી રહ્યા હતા. કેટલાક લોકોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. ટ્રેન કરાચીથી રાવલપિંડી સુધી જઇ રહી હતી. રેલ મંત્રી રશિદે કહ્યું કે નુકસાન થયેલા ટ્રેકને બે કલાકની અંદર ચાલુ કરી દેવામાં આવશે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને ઘાયલોને સારી ચિકિત્સા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો. એમને પીડિત પરિવારોને પ્રતિ પોતાની સંવેદના પણ વ્યક્ત કરી.