ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ડીલના વિવાદમાં હવે પાડોશી દેશ પાકિસ્તાન પણ કૂદી પડ્યું છે. પાકિસ્તાને કહ્યું કે ભારતીય સરકાર રાફેલ ડીલમાં ઘેરાઈ છે. જેથી તે પાકિસ્તાનનું નામ લઈને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી છે.
પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કરીને નિવેદન આપ્યું કે તમામ લોકો જાણે છે કે ભારતીય સરકારની પાકિસ્તાન વિરૂદ્ધ નફરત ફેલાવવાની રણનીતિ પીએમ મોદીને બચાવવા માટે કરવામાં આવી રહી છે. પીએમ મોદી પર રાફેલ ડીલ મામલે રાજીનામુ આપવાનું દબાણ છે.
We reject war mongering by ruling elite of India everyone know Indian Govt strategy is to use hate mongering against Pak basically to bail Pm Modi from call for resignation post French jets Rafael deal and divert attention of Indian public from this mega corruption scandal .
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયર અને જમ્મૂ-કશ્મીરમાં આતંકી હુમલાને પગલે ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે પાકિસ્તાન સેના અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. જેના કારણે પાકિસ્તાન હાલ ભારત પ્રત્યે ઝેર ઓંકી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર સતત નિશાન સાધી રહ્યા છે. ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાસ્વા ઓલાંદ દ્વારા રાફેલ ડીલ પર નવો ખુલાસો કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે વધુ પ્રમાણમાં આકરા પ્રહાર કર્યા હતા. આ ડીલમાં અનિલ અંબાણીની એન્ટ્રી મામલે પણ ખુલાસો થયા બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.