પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઇને સારા સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત સમાચારો અનુસાર, આંતરારાષ્ટ્રીય કોર્ટના નિર્ણયના આધારે જાધવને સિવિલ કોર્ટમાં અપીલની તક આપવામાં આવશે. જાધવ આ અપીલ કરી શકે તે માટે સૈન્ય કાનૂનોમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઇને સારા સમાચાર
જાધવ આ અપીલ કરી શકે તે માટે સૈન્ય કાનૂનોમાં બદલાવ કરાશે
સિવિલ કોર્ટમાં અપીલ કરી શકશે કુલભૂષણ
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર, પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને સિવિલ કોર્ટમાં અપીલની તક મળી શકે છે. તેના માટે સૈન્ય કાનૂનોમાં જરૂરી બદલાવ કરાઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય બાદ પાક. સરકારે આ પગલુ ઉઠાવ્યું છે.
Pakistan media: The case being tried under Military courts and the Army Act law forbade such individuals or groups from filing an appeal and seeking justice from the civilian court but a special amendment is being made for Kulbhushan Jadhav. https://t.co/ZhVcIgbfAt
પાકિસ્તાનમાં એવા કેસ જે સૈન્ય કોર્ટમાં સૈન્ય કાનૂનો હેઠળ ચલાવવામાં આવે છે. તેમાંથી સિવિલ કોર્ટમાં અપીલની કરી શકાતી નથી. કોઇપણ વ્યક્તિ અથવા સંગઠનને સિવિલ કોર્ટમાં અપીલનો અધિકાર નથી. હાલ આંતરરાષ્ટ્રિય કોર્ટના નિર્ણય બાદ કુલભૂષણ જાધવને આ છૂટ મળી શકે, તેના માટે કાનૂનોમાં બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે.