પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાયન્સે શનિવારે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત થનાર એરબસ A-320ની બે મહિના પહેલા તપાસ કરવામાં આવી હતી. તો બીજી બાજુ દુર્ઘટનાગ્રસ્ત થવાથી એક દિવસ પહેલા વિમાનને મસ્કટથી લાહોર સુધીની ઉડાન ભરી હતી.
પીઆઇએ લાંબા સમયથી નાણાકીય નુકસાનથી પસાર થઇ રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રોકડની તંગીનો સામનો કરી રહેલ કંપનીએ વિમાનનો ટેકનીકી ઇતિહાસનું વિવરણ આપતા એક સારાંશ જારી કર્યું છે. એમાં કહેવામાં આવ્યું છે કે વિમાનનું એન્જીન, લેન્ડિંગ ગિયર અને મેજર એરક્રાફ્ટ પ્રણાલીમાં કોઇ સમસ્યા નહતી.
પીઆઇએની એન્જીનિયરિંગ વિભાગ અનુસાર પ્લેનનું છેલ્લી વખત આ વર્ષે 21 માર્ચે તપાસ કરવામાં આવી હતી અને એને દુર્ઘટનાગ્રસ્ત થવાથી એક દિવસ પહેલા મસ્કટથી લાહોર સુધીની ઉડાન ભરી હતી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે બંને એન્જીનોની સ્થિતિ સંતોષજનક હતી અને એનું ધ્યાન થોડાક સમય પર કરવામાં આવી રહ્યું હતું. એમાં કહેવામાં આવ્યું છે કે દેશના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ દ્વારા પાંચ નવેમ્બર 2020 સુધી વિમાનોને ઉડાનો માટે ફિટ જાહેર કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છ નવેમ્બર, 2014થી પાંચ નવેમ્બર, 2015 માટે એરબસ વિમાનની ઉડાન યોગ્યતાનું પહેલું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું. આગળ કહેવામાં આવ્યું કે દર વર્ષે પ્લેનની સંપૂર્ણ તપાસ બાદ ઉડાન યોગ્યતા પ્રમાણપત્ર જારી કરવામાં આવતું હતું.
નોંધનીય છે કે શુક્રવારે કરાચી એરપોર્ટ પાસે રહેણાંક વિસ્તારમાં પીઆિએની ઉડાન પીકે-8303ના દુર્ઘાટનાગ્રસ્ત થવાથી એમાં મુસાફરી કરતા 99 લોકોમાંથી 97 લોકોના મોત થઇ ગઇ. મરનાર લોકોમાં 9 બાળકો પણ સામેલ હતા. જ્યારે ચમત્કારિક રૂપથી બે લોકોના જીવ બચી ગયા.