નાણાકીય સંકટ સામે જઝુમી રહેલા પાકિસ્તાને વધુ એકવાર ચોંકાવનારો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે જાહેરાત કરી છે કે શંકાસ્પદ અને નકલી લાયસન્સ ધરાવનારા 150 પાયલટ હવે વિમાન નહીં ઉડાડી શકે. આ નિર્ણય પાકિસ્તાનના કરાચીમાં બનેલી વિમાન દુર્ઘટના બાદ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાન એરલાઈન્સનો નિર્ણય
150 પાયલટોના લાયસન્સ રદ
262 નકલી ડિગ્રી ધરાવે છે
કરાચી વિમાનની દુર્ઘટના પાયલટની બેદરકારીના કારણે થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન એરલાઈન્સના પ્રવક્તાએ પણ કબૂલાત કરી હતી કે 860 માંથી 262 પાયલટ નકલી ડીગ્રી ધરાવે છે.
એક સાથે 262 પાયલટોને ઉડાન ન ભરવાનો આદેશ આપતા પાકિસ્તાન એરલાઈન્સને મોટી અસર પડશે. પરંતુ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય કર્યો હોવાની એરલાઈન્સે વાત કરી છે. જો કે એરલાઈન્સે કહ્યું કે આ તમામ પાયલટો પોતાની ડિગ્રી સાબિત કરશે તેને કામ પર પરત લેવામાં આવશે.
પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે મુશ્કેલીની વાત એ છે કે આ તમામ લોકોને શંકાના આધારે લાયસન્સ રદ કર્યા છે, પરંતુ મુશ્કેલીની વાત એ છે કે 262 એવા છે જેમણે પાયલટ બનવાની પરીક્ષા આપી નથી. તેમને શોધવા મુશ્કેલ છે તેના કારણે આ નિર્ણય લઈને હવે ફરીવાર તમામ લોકોની પરીક્ષા લેવાશે અને પાસ થશે તેને લાયસન્સ પરત કરવામાં આવશે.
પાકિસ્તાનના કરાચીમાં 22 મેના રોજ વિમાન દુર્ઘટનાની તપાસ અહેવાલ બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી હતી. અહેવાલ રજૂ કરતી વખતે, ઉડ્ડયનમંત્રી ગુલામ સરવર ખાને કહ્યું હતું કે, વિમાનમાં કોઈ તકનીકી ખામી નહોતી. આ દુર્ઘટના માટે પાયલટ, કેબિન ક્રૂ અને એટીસી જવાબદાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રેશનો પ્રથમ પાયલટ કોરોના વાયરસની ચર્ચા કરી રહ્યો હતો. અમારી પાસે તેનું રેકોર્ડિંગ પણ છે. કરાચી વિમાન દુર્ઘટનામાં 8 કેબીન ક્રૂ સહિત 97 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 2 લોકો બચી ગયા હતા. સરવરે પાકિસ્તાન એરલાઇન્સને લઇને આશ્ચર્યજનક ખુલાસો કરતા કહ્યું હતું કે, આપણી સરકારી એરલાઇન્સમાં 40% પાયલટ્સ પાસે નકલી લાઇસન્સ છે.