ઇસ્લામાબાદ: સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પોતાના પહેલા ભાષણમાં તહરીફ એ ઇન્સાફ પાકિસ્તાનના ચીફ ઇમરાન ખાને જે એલાન કર્યું હતું એની પર તેઓ અમલ કરતાં જોવા મળી રહ્યા છે. પોતાના વાયદા અનુસાર ઇમરાન ખાને પાકિસ્તાનના પ્રધાનમંત્રી હાઉસમાં રહેવાની ના પાડી દીધી છે ત્યારબાદ એમના મિનિસ્ટર્સ એન્ક્લેવમાં રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર વહીવટી અધિકારી મિનિસ્ટર્સ એન્ક્લેવમાં ઇમરાન ખાનના રહેવા પર વિચાર કરી રહ્યા છે. ઇસ્લામાબાદ સ્થિત મિનિસ્ટર્સ એન્કલેવના એક ઘરને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનવા જઇ રહેલા ઇમરાન ખાનનું સરકારી ઘર જાહેર કરવામાં આવશે.
11 ઓગસ્ટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લેનાર ઇમરાન ખાને જો કે કોઇ સામાન્ય ફ્લેટમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એમને મિનિસ્ટર્સ એન્ક્લેવમાં શિફ્ટ કરવાની યોજના છે.
સામાન્ય ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતનાર ઇમરાન ખાનની પાર્ટી સાદગીથી રાજકારણના દાવા કરતી રહી છે. પોતાના પહેલા ભાષણમાં ઇણરાને સ્પષ્ટ કહ્યું હતું કે એ આલીશાન સરકારી બિલ્ડિંગોને શૈક્ષિક અથવા બીજા સંસ્થાનો તરીકે ઉપયોગ કરશે.
હાલમાં ઇમરાન ખાન જે ઘરમાં રહે છે એ ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
સુરક્ષા અધિકારીઓએ ઇમરાન ખાન સાથે મુલાકાત કરી છે. એમને ઇમરાન ખાનને જણાવ્યું કે એમના પર્સનલ ઘરને પ્રધાનમંત્રી હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવશે નહીં કારણ કે એ સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય જગ્યા નથી.